સુરત શહેરની સુવિધામાં વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. શહેરને હવે વધુ બે દૈનિક ફ્લાઇટ મળશે. ઇન્ડિગો એરલાઇન્સ સુરતમાં બે દૈનિક ફ્લાઇટ શરૂ કરવા જઇ રહ્યું છે, જેમાં સુરતથી ચેન્નાઇ અને સુરતથી જયપુરની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. 28 માર્ચથી ઇન્ડિગો આ બે દૈનિક ફ્લાઇટ્સ શરૂ કરવા જઇ રહ્યું છે. સુરતથી ચેન્નાઇ જવા માટે દરરોજ સાંજે 6:15 કલાકે અને જયપુર જવા માટે દરરોજ રાત્રે 8:35 કલાકે ફ્લાઇટ ઉપડશે.