Surat: આખરે જર્જરિત ટેનામેન્ટમાં રહેતા રહીશોના સ્થળાંતર માટેનું કોકડું ઉકેલાયું, જાણો વિગત

|

Jul 05, 2021 | 5:26 PM

સુરતના માન દરવાજા ખાતે આવેલા જર્જરિત વિસ્તારમાં રહેતા રહીશોના સ્થળાંતર મુદ્દે હવે ઉકેલ આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. યોજવામાં આવેલી બેઠકમાં હવે મોટાભાગના પરિવાર સ્થળાંતરને લઈને તૈયાર થઇ ગયા છે.

Surat: આખરે જર્જરિત ટેનામેન્ટમાં રહેતા રહીશોના સ્થળાંતર માટેનું કોકડું ઉકેલાયું, જાણો વિગત
સુરતના જર્જરિત આવાસ

Follow us on

સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહેલા માન દરવાજા ટેનામેન્ટ રહેવાસીઓનું સ્થળાંતર હવે ટૂંક સમયમાં કરવામાં આવશે. છેલ્લા પંદર દિવસથી વહીવટીતંત્ર દ્વારા જર્જરિત આવાસમાં વસવાટ કરી રહેલા પરિવારજનોના સ્થળાંતરને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી 110 પરિવારોએ મકાન ખાલી કરી દીધા છે.

જ્યારે બાકીના રહેવાસીઓની ધારાસભ્ય સંગીતા પાટીલ, અરવિંદ રાણા તેમજ સ્લમ કમિટીના ચેરમેન દિનેશ પુરોહિત સાથે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માન દરવાજા ઉમરવાડા ટેનામેન્ટના સ્થાનિકોને અડાજણ સુધીના વિસ્તારોમાં વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવાની તંત્ર દ્વારા બાંહેધરી આપવામાં આવી છે.

રીંગ રોડ વિસ્તારમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટમાં 320 જેટલા આવાસ છે. પરંતુ વર્ષોથી આ આવાસની હાલત જર્જરિત થઈ ગઈ છે. જેના કારણે અહીં વસવાટ કરતા પરિવારોજનોના માથે હંમેશા જીવનું જોખમ તોળાઈ રહ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

એવી સ્થિતિમાં ચોમાસા દરમિયાન આવા 300થી વધુ પરિવારોને સ્થળાંતર માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.જોકે વસવાટ કરતાં પરિવારો સ્વજન સ્થળાંતર માટે તૈયાર ન થતા કોકડું ગૂંચવાયું હતું. તે દરમિયાન વહીવટીતંત્ર દ્વારા ટેનામેન્ટમાં સીલીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

આજે સવારે માન દરવાજા ખાતે યોજવામાં આવેલ મિલકતદાર સાથેની બેઠક દરમિયાન મોટાભાગના મિલ્કતદારો મનપા દ્વારા ફાળવવામાં આવનાર આવાસોમાં વસવાટ કરવા માટે તૈયાર થઈ ચૂક્યા છે.

લિંબાયત ઝોન ખાતે મિલકતદારો દ્વારા નક્કી કરવામાં આવેલ 12 સભ્યોની કમિટી સાથે એક અંતિમ બેઠકનુ આયોજન પણ કરવામાં આવનાર છે. જેમાં સ્થળાંતર માટે આવાસ આપવા સહિતની તમામ પ્રક્રિયા પર ચર્ચા-વિચારણા કર્યા બાદ સંભવત બે-ત્રણ દિવસમાં સ્થળાંતર ની કામગીરી હાથ ધરવામાં આવશે.

સ્લમ કમિટીના ચેરમેન દિનેશ પુરોહિતે જણાવ્યું છે કે અહીં વસવાટ કરતા ગરીબ શ્રમિકોના જીવના જોખમને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે સ્થળાંતર પ્રક્રિયાઓ સરળ બનશે. પરિવારોને મહાનગરપાલિકા દ્વારા આવાસ ફાળવવામાં આવશે તે પરિવારો અને પીપીપીના ધોરણે જે બિલ્ડર ડેવલપર્સને આ સ્થળના વિકાસ માટે નિર્ધારીત કરવામાં આવશે તેની અને મહાનગરપાલિકા વચ્ચે કરાર કરવામાં આવશે.

જેમાં બિલ્ડર દ્વારા જે મિલકતદારો મનપાના આવાસમાં વસવાટ કરવા તૈયાર હશે તેનું ભાડું મનપાને ચૂકવવામાં આવશે અને જે મિલ્કતદારો મનપાના આવાસ ખાલી કરીને અન્યત્ર જવા માંગતા હશે તેમને ભાડાની રકમ ચુકવણી કરવામાં આવશે. આમ ભાડાની સ્થિતિ પણ હવે સ્પષ્ટ થઈ ચૂકી છે.

આ પણ વાંચો: સુરતના આ મંદિરે ફૂલ કે નારિયેળ નહીં, પરંતુ સિગારેટ ચડાવવાની માન્યતા, જાણો

આ પામ વાંચો: Surat : સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાના સવા વર્ષ બાદ માત્ર 10 કેસ નોંધાયા

Published On - 5:01 pm, Mon, 5 July 21

Next Article