Surat : જીએસટીના એક સમાન દર લાગુ કરવાના નિર્ણય સામે ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનની સરકારને રજુઆત

|

Oct 08, 2021 | 2:35 PM

દરેક પ્રકારનું સુરતમાં તૈયાર થતું કપડું પાંચ ટકા જેટલું સરેરાશ મોંઘુ થશે અને તેની સીધી અસરના ભાગરુપે કાપડ ઉત્પાદકો પર વર્ષે 1200થી વધુ કરોડનો વધારોનો કરબોજ આવશે તેવું છે.

Surat : જીએસટીના એક સમાન દર લાગુ કરવાના નિર્ણય સામે ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનની સરકારને રજુઆત
Surat: Textile Traders Association submits to govt against decision to impose uniform rate of GST

Follow us on

સાઉથ ગુજરાત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન (SGTTA) દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નાણામંત્રી કનુ  દેસાઈને મળીને પહેલી જાન્યુઆરી,2022થી એક સમાન જીએસટી (GST) સ્લેબ લાગુ નહીં કરવા રજુઆત કરવામાં આવી છે. યાર્ન ઉપર હાલ 12 ટકા જીએસટી છે. અને ત્યારબાદ પ્રોસેસ, ગ્રે કાપડનું વેચાણ અને તૈયાર માલ ઉપર પાંચ ટકા જીએસટી છે. 

જો કે એક સરખો જીએસટી સ્લેબ જો કાપડ ઉધોગ પર લાગુ પાડવામાં આવે તો તેનાથી કાપડ ઉધોગ સાથે સંકળાયેલા તમામ લોકોની મુશ્કેલીમાં વધારો થશે એ નક્કી છે. પહેલી જાન્યુઆરીથી જીએસટીના એક સમાન સ્લેબ જે લાગુ પડવા જઈ રહ્યો છે તેણે સમગ્ર કાપડ ઉધોગકારોની ચિંતા વધારી દીધી છે.

કાપડ વેપારીઓનું કહેવું છે કે જો એકસરખા જીએસટી સ્લેબ લાગુ કરવામાં આવશે તો તેમની ઉપર આર્થિક બોજ વધશે, કોરોના સમય પછી હાલ તહેવારોને લઈને વ્યાપારની ગાડી માંડ માંડ પાટા પર આવી રહી છે તેમાં જો જીએસટીમાં જે બદલાવ આવવા જઈ રહ્યો છે તેના કારણે વેપારીઓની આર્થિક કમર ભાંગી પડશે.

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

દરેક પ્રકારનું સુરતમાં તૈયાર થતું કપડું પાંચ ટકા જેટલું સરેરાશ મોંઘુ થશે અને તેની સીધી અસરના ભાગરુપે કાપડ ઉત્પાદકો પર વર્ષે 1200થી વધુ કરોડનો વધારોનો કરબોજ આવશે તેવું છે. અને ગ્રાહકોને પણ ટેક્સ્ટાઈલ પ્રોડક્ટ મોંઘી લાગતા એકંદરે વેપાર જગતને મોટી નુકસાની ઉઠાવવાનો વારો આવશે તેવો ડર કાપડના વેપારીઓને લાગી રહ્યો છે. કાપડ અગ્રણીઓનું માનવું છે કે હાલની ઈન્વર્ટેડ ડ્યુટી હટાવવાથી સુરતના ઉદ્યોગકારો પર પાંચ ટકાનો બોજ પડશે.

તેમણે ઉમેર્યું હતું કે કાપડ ઉત્પાદન સાથે સંકળાયેલા દરેક સ્તરને 12 ટકાને બદલે પાંચ ટકા જીએસટી કરી દેવાશે તો કાપડ ઉધોગ માટે સારું રહેશે. પરંતુ યાર્ન સિવાય પ્રોસેસ, ગ્રે કાપડના વેચાણ અને તૈયાર માલ પર પાંચ ટકાને બદલે 12 ટકા જીએસટી કરવામાં આવશે તો જીએસટી ચોરીની સંભાવના વધી જશે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં કાપડ ઉદ્યોગ પર લાગુ ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્ક્ચરને કારણે ટેક્સ્ટાઈલ વેપારીઓની મુશ્કેલી વધવાના અણસાર છે, ત્યારે સુરતમાં જે ઉદ્યોગકારો કાપડ મેન્યુફેક્ચરિંગ કરે છે તે યાર્ન પર હાલમાં 12 ટકા અને તૈયાર ફેબ્રિક પર પાંચ ટકા જીએસટી લાગુ છે. બંને તરફથી જીએસટી હોવાના કારણે ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર છે. હાલ ફિનિશડ કાપડ પરનો પાંચ ટકાનો જીએસટી દર હટાવીને તેને યાર્ન પર લાગુ જીએટી સુધી લઈ જવાની તૈયારી ચાલી રહી છે.

આ પણ વાંચો : Surat : બર્થ-ડે પાર્ટીમાં બાર ડાન્સરના ઠુમકા પર ચલણી નોટોનો વરસાદ, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો : Surat : મેટ્રો કોરિડોર માટે મહિધરપુરાના 51 પરિવારોને મકાન-દુકાન ખાલી કરવા નોટિસ, ન મળશે કોઈ વળતર કે ન મળશે આવાસ

Next Article