Surat: વતનની વ્હારે સૌરાષ્ટ્રવાસીઓ, 200 જેટલા વાહનો લઈ સૌરાષ્ટ્ર જવા રવાના

|

May 09, 2021 | 2:31 PM

સુરતમાં જે રીતે સુરત બહારથી લોકો કોરોનાની સારવાર લેવા આવી રહ્યા છે ત્યારે સુરતમાંથી વતનની વ્હારે સુરતના સૌરાષ્ટ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ-યુવાનો કોરોના સંક્રમિત ગામડાઓની મદદે આગળ આવ્યા અને 200 જેટલા વાહનો લઈ સૌરાષ્ટ્ર જવા માટે રવાના થયા અને ત્યાં મદદ કરશે.

જે રીતે સુરત બહારથી લોકો કોરોનાની સારવાર લેવા આવી રહ્યા છે ત્યારે સુરતમાંથી વતનની વ્હારે સુરતના સૌરાષ્ટ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ-યુવાનો કોરોના સંક્રમિત ગામડાઓની મદદે આગળ આવ્યા અને 200 જેટલા વાહનો લઈ સૌરાષ્ટ્ર જવા માટે રવાના થયા અને ત્યાં મદદ કરશે.

ચાલો જઈએ વતનની વ્હારે ચાલો સૌરાષ્ટ્ર” ઝુંબેશ સુરત શહેરમાં શરૂ થઈ છે. સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધતા માદરે વતનની સેવા માટે સેવાયજ્ઞ શરૂ કરવાની હાકલ થતાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ-યુવાનો સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું છે. આગામી સાત દિવસ કોરોના સંક્રમિત ગામડાઓમાં મેડિકલથી લઈને તમામ સુવિધાઓ પૂરી પાડશે. દરમિયાન ભાવનગર, અમરેલી અને જુનાગઢ જિલ્લામાં તાત્કાલિક આઇસોલેશન સેન્ટરની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

 

સૌરાષ્ટ્રની હોસ્પિટલોમાં ઓક્સિજનનો અભાવ મેડિકલ સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં ન હતી. સુરત શહેરમાં રહેતા લોકો માટે જ સુરતની મેડિકલ વ્યવસ્થા પડી ભાંગે તેવી સ્થિતિમાં હતી ઉપરથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધીના લોકો સુરતમાં સારવાર લેવા આવી રહ્યા હતા. વધુમાં સૌરાષ્ટ્રમાં લોકો પણ જ્યારે સુરતમાં સારવાર લેવા માટે દોટ મુકતા સ્થિતિ વધુ વણસી હતી.ભાવનગર, અમરેલી, જુનાગઢ તરફના ગામોના લોકો સતત સુરતમાં પુણામાં સારવાર લેવા માટે આવવાનું શરૂ કરતાં સૌરાષ્ટ્રવાસીઓ કે જે સુરતમાં રહે છે તેમની ચિંતામાં વધારો થયો હતો. જેને ધ્યાનમાં રાખીને સુરતની સેવા સંસ્થા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી પોતાના માદરે વતનને જઈને ત્યાં જ કોરોના સારવાર દર્દીઓને મળી રહે અને સ્વજનો સાથે ભયનું વાતાવરણ ઊભું થયું છે તેને દૂર કરવાનો પ્રયાસ કરીએ. સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ મેડિકલ સ્ટાફ તેમજ યુવાનોની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર તરફ જવાનું શરૂ કરાયું છે.

ઉદ્યોગપતિ મહેશ સવાણીએ જણાવ્યું કે, ઘણા દિવસોથી સતત સૌરાષ્ટ્રથી સુરતમાં સારવાર મળી રહેશે કે કેમ તે અંગે ફોન આવવાના શરૂ થયા હતા. જેથી મારી ચિંતામાં વધારો થયો કે ત્યાં આગળ જ દર્દીઓને સેવા મળે તેવી સ્થિતિ કેમ નથી. પરંતુ દર્દીઓની સંખ્યા વધતા ચોક્કસપણે ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે તેથી સુરતની અમારી સેવા સંસ્થાની ટીમ સાથે સંકલન કરીને ડોક્ટરો તેમજ યુવાનોની ટીમ તૈયાર કરી તાત્કાલિક અસરથી અલગ અલગ જિલ્લાઓમાં તાલુકામાં ઓક્સિજન બેડ સાથેની આઇસોલેશન સેન્ટર ઊભા કરવાનું આયોજન કરાયું છે. ભાવનગર થી અમે સૌરાષ્ટ્રમાં ઓક્સિજન પૂરું પડે તે માટેની વ્યવસ્થા હાલ શરૂ કરી છે

Next Video