Surat: નવરાત્રીના ધંધાદારી આયોજનો પર બ્રેક લાગતા ઓર્કેસ્ટ્રા સાથે જોડાયેલા અસંખ્ય લોકો મજૂરી કરવા મજબુર

|

Oct 05, 2021 | 8:11 PM

જેમાં ખાસ કરીને નવરાત્રિના ધંધાદારી આયોજનમાં ઓરકેસ્ટ્રા માટે જતા કલાકારોની હાલત કફોડી બની છે. આવા લોકોએ ઘર ચલાવવા છૂટક મજૂરી કરવી પડી રહી છે.

Surat: નવરાત્રીના ધંધાદારી આયોજનો પર બ્રેક લાગતા ઓર્કેસ્ટ્રા સાથે જોડાયેલા અસંખ્ય લોકો મજૂરી કરવા મજબુર
File Image

Follow us on

કોરોના (Corona) બાદ પ્રથમવાર નવરાત્રીની (Navratri 2021) ઉજવણીની છૂટ સરકાર દ્વારા આપવામાં આવી છે .પરંતુ આ છૂટ માત્ર શેરી ગરબા પૂરતી આપવામાં આવી છે. શહેરમાં આ વખતે કોઈપણ જાતના નવરાત્રીના ધંધાદારી આયોજનો થશે નહીં જેના કારણે નવરાત્રીના તહેવારની સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે. જેમાં ઓરકેસ્ટ્રાના કલાકારોએ પરિવારનું ગુજરાન ચલાવવા માટે હાલ છૂટક મજૂરી કરવાનો વારો આવ્યો છે.

 

શેરી ગરબાની છૂટ મળવાથી ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ એવા ઘણા લોકો છે જે નવરાત્રી સાથે જોડાયેલા છે. જેઓની કમાણીનું સાધન માત્ર નવરાત્રીના આ નવ દિવસ હોય છે. આ લોકોએ હાલ પરિવારનું ગુજરાન માટે ફાંફા પડી રહ્યા છે. જેમાં ખાસ કરીને નવરાત્રીના ધંધાદારી આયોજનમાં ઓરકેસ્ટ્રા માટે જતા કલાકારોની હાલત કફોડી બની છે. આવા લોકો એ ઘર ચલાવવા છૂટક મજૂરી કરવી પડી રહી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

 

છેલ્લા 30 વર્ષથી ઓરકેસ્ટ્રાના કલાકાર તરીકે કામ કરી રહેલા સંતોષ કાળજે કહે છે કે “તેઓ ઓલરાઉન્ડર કલાકાર છે. તેવો ડ્રમ, કોંગો અને ઢોલક વગાડતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે નવરાત્રી થઈ ન હતી .આ વખતે કેસ ઘટી જતાં નવરાત્રીની આશા હતી. પરંતુ સરકારે છૂટ નહીં આપતા મારે પરિવારના આઠ લોકોનું ભરણપોષણ કરવું ખૂબ જ અઘરું થઈ ગયું છે.

 

હું અને મારો દીકરો બન્ને જ ઓરકેસ્ટ્રામાં કામ કરીએ છીએ. પરંતુ અમે બંને હવે કઈ રીતે કામ કરીએ. મારે હવે છૂટક મજૂરી કરવી પડે છે. જેમાં ક્યારેક કામ મળે છે અને ક્યારેક કામ નથી મળતું .મજૂરીના પણ 500થી 600 રૂપિયા મળતા હોય છે. પરિવારનું ગુજરાન ચલાવું અત્યારે ખૂબ જ અઘરું થઈ પડ્યું છે.

 

બીજી તરફ ઓજસભાઈ જરીવાલા કહે છે કે હું પણ ઓરકેસ્ટ્રામાં 30 વર્ષથી કામ કરી રહ્યો છું. મારી સાથે મારી પત્ની પણ સિંગર છે. પરંતુ નવરાત્રીમાં આ વખતે ધંધાદારી આયોજનો થવાના નથી. જેના કારણે અમે જે નવ દિવસમાં 25,000થી 30,000 કમાઈ લેતા હતા. તે હવે શક્ય નથી.

 

નવરાત્રીની કમાણી પર જ અમારી આખી ઘરની દિવાળી નિર્ભર હોય છે. અમને કોઈ કામ પણ નથી આપતું. કારણકે અમને બીજો કોઈ અનુભવ નથી. તે લોકો અમારો અનુભવ માંગતા હોય છે. અમે ઘરના અને ઈન્સ્ટ્રુમેન્ટ માટે જે લોન લીધી હોય તેના પણ હપ્તા ચાલતા હોય છે. તે પણ હવે નથી ભરાતા.

 

આ પણ વાંચો : Surat: એવું તો શું છે આ લેડીઝ પાર્લરમાં કે મહિલાઓ ત્યાં જતા ડરે છે!

 

આ પણ વાંચો : Surat : પૂર્વ આરોગ્યમંત્રી ફરી આવ્યા વિપક્ષની ભૂમિકામાં, જર્જરિત રસ્તા મુદ્દે કહ્યું કે કોર્પોરેટરો, અધિકારીઓને રસ્તા રીપેર કરવામાં કોઈ રસ નથી

Next Article