સુરતના તક્ષશીલા અગ્નિકાંડને એક મહિના કરતા પણ વધુ સમય પસાર થઈ ચૂક્યો છે. પરંતુ 22 માસૂમના મોતનો ન્યાય પરિવારને મળ્યો નથી અને એટલે જ 22 પરિવારો આજે પણ ન્યાય માગી રહ્યા છે. અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 મૃતકના પરિવારોએ અસ્થિ કળશ રેલીનું આયોજન કર્યું છે. આવતીકાલે બપોરે બે વાગ્યા બાદ સુરતના રસ્તાઓ પર આ રેલી નીકળશે.
આ પણ વાંચોઃ મુખ્યમંત્રી એચ.ડી કુમારાસ્વામી અમેરિકા અને કર્ણાટકમાં સરકાર ડગમગી, 11 MLAના રાજીનામા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જ્યાં ગોઝારી ઘટના બની હતી તે જ તક્ષશીલા આર્કેડથી આ રેલી નીકળશે અને ત્યારબાદ યોગી ચોક, કિરણ ચોક, રચના સર્કલ, મીની બજાર, હીરાબાગ ફરીને પાછી તક્ષશીલા આર્કેડ પહોંચશે. સોશિયલ મીડિયા પર આ રેલી માટે મેસેજ વહેતા કરી દેવામાં આવ્યા છે. મૃતકના પરિવારની એક જ માગ છે કે તેમને ન્યાય મળે.
[yop_poll id=”1″]