Surat DGVCL: વીજ પુરવઠાને પૂર્વવત કરવા DGVCLની 30 ટીમનાં 400 કર્મીઓએ સંભાળ્યો મોરચો

|

May 21, 2021 | 3:46 PM

Surat DGVCL: તાઉ તે વાવાઝોડાએ ગુજરાતભરમાં ખાનાખરાબી સર્જી છે. સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર તરફ જોવા મળી છે. વાવાઝોડાથી વીજ વાયર, થાંભલા પડી જતા અંતરિયાળ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

Surat DGVCL: વીજ પુરવઠાને પૂર્વવત કરવા DGVCLની 30 ટીમનાં 400 કર્મીઓએ સંભાળ્યો મોરચો
DGVCL

Follow us on

Surat DGVCL: તાઉ તે વાવાઝોડાએ ગુજરાતભરમાં ખાનાખરાબી સર્જી છે. સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર તરફ જોવા મળી છે. વાવાઝોડાથી વીજ વાયર, થાંભલા પડી જતા અંતરિયાળ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

તાઉ તે વાવાઝોડા બાદ પણ હજી સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી પુરવઠો શરૂ ન થઈ શકતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ મદદનો હાથ લંબાવ્યો છે.

આજે DGVCLની 400 વીજ કર્મીઓ સાથેની 30 ટીમોને ભાવનગર ખાતે રો રો ફરીથી રવાના કરવામાં આવ્યા હતા. 400 વીજ કર્મચારીઓનો સમાવેશ કરતી આ ટીમમાં જરૂરી સાધન સરંજામ સાથે 40 વાહનો અને પોલ ઇરેક્શન મશીનો પણ મોકલવામાં આવ્યા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ ટીમમાં DGVCLના ઇજનેરો, લાઇન સ્ટાફના માણસો, કોન્ટ્રાકટ આધારિત કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને વીજ પુરવઠો પૂર્વવત કરવા મદદ કરશે.

Next Article