Surat : ‘સી.આર. પાટીલ જ BJP છે, એવું બતાવવાનું બંધ કરે’, ભાજપના જ પૂર્વ કોર્પોરેટરની પોસ્ટથી હડકંપ

|

Oct 26, 2021 | 8:46 PM

રાજુ અગ્રવાલની આ પોસ્ટથી શહેર ભાજપમાં હડકંપ આવી ગયો છે. કારણ કે સી.આર. પાટીલ હાલ ભાજપના કદાવર અને સુપ્રીમો નેતા છે. તેવામાં ભાજપના કોર્પોરેટરની આ પોસ્ટે ચર્ચા તો જગાવી જ છે.

Surat : સી.આર. પાટીલ જ BJP છે, એવું બતાવવાનું બંધ કરે, ભાજપના જ પૂર્વ કોર્પોરેટરની પોસ્ટથી હડકંપ
C.R. Patil

Follow us on

રાજ્યની મહાનગર પાલિકાની ચૂંટણીમાં (Election) ઉમેદવારોની પસંદગીમાં આકરા ક્રાઈટેરિયા અપનાવનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (C.R. Paatil) વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પણ સેલવાસ ખાતે આગેવાનો તેમજ કાર્યકરોને કડક શબ્દોઅમ ચેતવણી આપતા અકળાઈ ઉઠેલા સુરત ભાજપના પૂર્વ કોર્પોરેટરે સી.આર. પાટીલ વિરુદ્ધ જ મોરચો ખોલતા ભાજપમાં ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. 

સુરત ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલે (Raju Agrawal) સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ મૂકીને પોતાનો વિચાર રજૂ કર્યો છે. તેમને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, સી. આર. પાટીલ જ ભારતીય જનતા પાર્ટી છે, એવું બતાવવાનું ભાજપના પ્રદેશ અધ્યક્ષે બંધ કરી દેવું જોઈએ છે. કારણ કે તેમના નિવેદનોથી ભાજપના સક્ષમ કાર્યકરોનું અપમાન થાય છે. તેવો સીધો આક્ષેપ રાજુ અગ્રવાલે પોતાની પોસ્ટમાં કર્યો છે.

રાજુ અગ્રવાલની આ પોસ્ટથી શહેર ભાજપમાં હડકંપ આવી ગયો છે. કારણ કે સી.આર. પાટીલ હાલ ભાજપના કદાવર અને સુપ્રીમો નેતા છે. તેવામાં ભાજપના કોર્પોરેટરની આ પોસ્ટે ચર્ચા તો જગાવી જ છે. આવતા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ભાજપ હાઈ કમાન્ડ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સમગ્ર રાજ્યનો પ્રવાસ કરીને કાર્યકરો તેમજ આગેવાનોની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિનું આકલન પણ કરી રહ્યા છે. સેલવાસ ખાતે એક જાહેર સમારંભમાં સી.આર. પાટીલે ટિકિટ માટે દોડધામ કરનારા કાર્યકરો અને અગ્રણીઓની આકરા શબ્દોમાં ઝાટકણી પણ કાઢી હતી. નેતાઓને સ્ટેજ પર પણ નહીં બેસવાની તેમણે સલાહ આપી હતી.

ત્યારે સી.આર. પાટિલના કડક અને એક તરફી વહીવટનો વિરોધ કરતી આ પોસ્ટ હાલ ભાજપ માટે ચર્ચાનો વિષય જરૂરથી બની ગઈ છે. રાજુ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે સક્ષમ અને મહેનત કરતા કાર્યકરોને કારણે પક્ષ બને છે અને મજબૂત થાય છે. ભારતીય જનતા પક્ષ સી.આર. પાટીલનો નહીં પણ સક્ષમ કાર્યકરોનો પક્ષ છે. કાર્યકરો ફિલ્ડમાં મહેનત કરતા હોય છે ત્યારે જીત મળતી હોય છે. પણ જાહેરમાં વિવાદાસ્પદ નિવેદનો આપીને સી.આર. પાટીલ કાર્યકરોનું અપમાન કરી રહ્યા છે. તેમના નિવેદનો ઉપરથી તો સ્પષ્ટ જણાય છે કે જે કાર્યકરો તેમની ચાપલુસી કરે છે તેને જ ટિકિટ મળે છે તેવો આક્ષેપ પૂર્વ કોર્પોરેટરે કર્યો છે.

 

આ પણ વાંચો : Surat: મોદી સમાજના માનહાની કેસમાં રાહુલ ગાંધીને ફરી 29 ઓક્ટોબરે સુરત કોર્ટમાં હાજર રહેવા આદેશ

આ પણ વાંચો : SURAT : મંત્રીઓને ઇલેક્ટ્રીક વાહનો આપવા અંગે નિર્ણય લેવાઇ શકે છે : પૂર્ણેશ મોદી

Next Article