Ahmedabad: લો ગાર્ડનના લારી-ગલ્લા, પાથરણા ધારકોનો પોલીસ કમિશનર પર ગંભીર આરોપ, 60 દિવસથી ધંધો બંધ

|

Oct 25, 2021 | 1:42 PM

લો ગાર્ડન ખાતે 60 દિવસથી લારી ગલ્લા અને પાથરણા બંધ કરાવ્યા છે. જેને લઈને ભારે વિરોધ થઇ રહ્યો છે. છેવટે વેપારીઓ ભૂખહડતાલ અને આત્મવિલોપનની ચીમકીઓ સુધી આવી ગયા છે.

અમદાવાદના લો ગાર્ડન ખાતે લારી ગલ્લા પાથરણા ધારકો આકરા પાણીએ જોવા મળ્યા. અંદાજે 60 દિવસથી લારી ગલ્લા અને પાથરણા બંધ કરાવ્યા છે. જેને લઈને ભારે વિરોધ થઇ રહ્યો છે. પ્રદર્શનકર્તાઓ અમદાવાદ પોલીસ કમિશનર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમના કહેવા પ્રમાણે કમિશનરના મિત્ર અહીં રહેતા હોય જેના પગેલ ધંધા રોજગાર બંધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ પ્રદર્શનકર્તા લોકોમાંથી 10 લોકો ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. પર્દર્શનકર્તાઓએ આત્મવિલોપનની પણ ચિમકી ઉચ્ચારી છે.

પ્રદર્શન કરનારોઆના કહેવા પ્રમાણે તેઓ આ અંગે ગૃહ પ્રધાનને સામે પણ રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. બીજી તરફ પ્રદર્શનકર્તાઓ પોલીસ મંજૂરી વગર ભૂખ હડતાળ પર ઉતરતા પોલીસે પ્રદર્શન કરતા લોકોની અટકાયત કરી છે.

તો એક તરફ આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરવામાં આવે છે. ત્યાં બીજી તરફ ખુબ આત્મનિર્ભર બનવા ઈચ્છતા લોકોને વેપાર ધંધાઓ બંધ કરાવવામાં આવ્યા છે. આ મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ નીવેળો ન આવતા વેપારીઓ હવે આકરા પાણીએ છે.

 

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાંચની નવતર પહેલ સાયબર સેઇફ મિશનનો પ્રારંભ, નવા જમાનાને અનુરૂપ પોલીસ બેડાએ કૌશલ્ય મેળવ્યું : CM

આ પણ વાંચો: T20 World Cup IND vs PAK: મેચ બાદ ધોનીએ PAK ખેલાડીઓ સાથે વાત કરી, ICC વીડિયો શેર કરી કહ્યું આ ભારત-પાકિસ્તાન ક્રિકેટની અસલી કહાની છે

Next Video