Ahmedabadનાં પોશ વિસ્તાર Bopal માં સ્મશાન ગાયબ થઈ ગયું. અહીં બિલ્ડરોએ એવી તો કળા કરી કે પાટીદાર સમાજનું સ્મશાન હવે ઠાકોર સમાજના સ્મશાનમાં મર્જ થઈ ગયું. સરકારી ચોપડે એટલે કે 7-12ના ઉતારામાં હજી પણ સ્મશાન હોવાની નોંધ છે. પરંતુ હકીકતમાં બિલ્ડંગ બની ગઈ છે. આ સ્મશાનની આસપાસની સોસાયટીના લોકો પણ પરેશાન થઈ ગયા છે. આ મામલે સ્થાનિકો લાંબા સમયથી લડત ચલાવી રહ્યાં છે પરંતુ નેતા અને અધિકારીઓના મૌનને લઈ સવાલ ઉઠાવી રહ્યાં છે.