ગુજરાતમાં કોરોનાકાળને લઈને, માર્ચ 2020-2021ના નવા શૈક્ષણિક વર્ષથી શાળાઓ શરૂ થઈ નથી, ત્યારે આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહે કરી છે. લાંબા સમય બાદ ફરી એક વખત શાળાઓ પુન:શરુ કરવાનો ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આજે જાહેરાત કરવામાં આવી કે ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ માટે 11 જાન્યુઆરીથી શાળાઓ ફરી શરુ કરવામાં આવશે, સાથે શિક્ષણમંત્રીએ માસ પ્રમોશનને લઇને જણાવ્યું કે હાલ માસ પ્રમોશનને લઇ સરકારનો કોઇ વિચાર નથી, તેમજ પરીક્ષાઓને લઇને શિક્ષણમંત્રીએ કહ્યું કે જેટલો અભ્યાસક્રમ ચાલ્યો છે તેટલા અભ્યાસક્રમના આધારે પરીક્ષાઓ લેવામાં આવશે.
Published On - 1:29 pm, Wed, 6 January 21