Salangpur : સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો. પ્રાચીન સંસ્કૃતિ જળવાઇ રહે તે માટે દાદાને અલગ અલગ પ્રકારની 51 પાઘડીઓનો વિવિધ વિશેષ શણગાર કરવામાં આવ્યો. દાદાને આજે રજવાડી પાઘડી, કાઠીયાવાડી પાઘડી, સાફો સહિત 51 પ્રકારની પાઘડીઓનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના દર્શનાથે આવતા મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના અનોખા રૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.