રાજકોટમાં બીજા તબક્કાનું વેક્સીનેશન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે રસી લઈને સુરક્ષિત થવા માટે સૌ કોઈ આતુર છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આજે જલારામ હોસ્પિટલમાં વેક્સીન લીધી છે. તેમણે લોકોને પણ વેક્સીન લેવાની અપીલ કરી છે. તો આતરફ રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વ.અભય ભારદ્વાજના પત્ની અલ્કા ભારદ્વાજે પણ વેક્સીન લીધી છે. આ સિવાય શહેરના 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને 45 વર્ષથી વધુની વયના ગંભીર બીમારી ધરાવતા લોકોએ પણ રસી મૂકાવડાવી છે. લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેનું આયોજન કરાયું છે.