Sabarkantha: હિંમતનગર પાલિકામાં અચાનક બદલીથી સપાટો, વિવાદાસ્પદ અધિકારીને TP વિભાગથી હટાવાયા

|

Mar 27, 2023 | 11:53 PM

હિંમતનગર નગર પાલિકામાં તાજેતરમાં જ નવા ચિફ ઓફિસર બદલી થઈને આવ્યા છે. મુખ્ય અધિકારીની બદલી બાદ હવે નગર પાલિકામાં પણ અચાનક બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. પાલિકામાં સાફ સફાઈ હાથ ધરાઈ હોય એમ ભ્રષ્ટાચાર અને વિવાદાસ્પદોને હટાવી દેવામાં આવ્યા છે.

Sabarkantha: હિંમતનગર પાલિકામાં અચાનક બદલીથી સપાટો, વિવાદાસ્પદ અધિકારીને TP વિભાગથી હટાવાયા
હિંમતનગર પાલિકામાં બદલીઓના આદેશ

Follow us on

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ટાઉન પ્લાનીંગને લઈ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને નવા ધારાસભ્ય વીડી ઝાલા ચૂંટાઈ આવ્યા બાદ વિકાસની ગતિ પકડાવા લાગી છે અને શહેર અને તાલુકામાં વિકાસ યોજના અને કાર્યો શરુ થવા લાગ્યા છે. આ ઉપરાંત શહેરના રોડ રસ્તા અને વિકાસ કાર્યોની રુપરેખા હાથ ધરાઈ છે. આ પહેલા જ મોટી ઉથલ પાથલ નગર પાલિકામાં જોવા મળી છે. વિકાસ કાર્યો હાથ ધરવા માટે અનુભવી ચિફ ઓફિસરની બદલીથી નિમણૂંક થયા બાદ હવે પાલિકામાં પણ મહત્વના વિભાગોમાં બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે.

શહેરમાં ટાઉન પ્લાનીંગ કરવાને લઈ થઈ રહેલા આયોજનોની રુપરેખા તૈયાર થઈ રહી છે, એ દરમિયાન જ ટીપી વિભાગના સ્વંતંત્ર હવાલાથી કામગીરી જેને સોંપાઈ હતી એમને હટાવી દેવામાં આવ્યા છે. જેને લઈ લઈ સ્પષ્ટ સંકેત પણ શહેર તંત્રમાં મળ્યો છે કે, ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલાઓને મુખ્ય સ્થાનોએથી હટાવી દેવામાં આવશે.

એસીબીમાં ઝડપાયેલા અધિકારીને હટાવાયા

નગર પાલિકામાં શરમ નેવે મુકી હોય એમ લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા અધિકારી જિજ્ઞેશ ગોરને સૌથી મહત્વના વિભાગ એવા ટીપી ડીપી ફાઈનલ ની સ્વતંત્ર કામગીરી કરવાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. જેમનો કેસ હાલમાં ચાલુ હોવા છતાં મહત્વના પદ પર ફરજ સોંપવામાં આવી હતી. જેને લઈ પાલિકાના મોટા ભાગના કોર્પોરેટરોમાં કચવાટ સર્જાયો હતો. જોકે આમ છતાં વગના આધારે વિભાગનો હવાલો મેળવી લેવાયો હતો, જેને લઈ શહેર ભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ સાથે જ અનેક જૂના અને અનુભવી કોર્પોરેટરો અને ચેરમેનોએએ પણ આ વિભાગથી અંતર બનાવી લીધુ હતુ જેથી પોતાની છબી સ્પષ્ટ રહે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જોકે સોમવારે અચાનક જ એકાએક બદલીઓના આદેશને જાહેર કરવામાં આવતા સૌથી પ્રથમ ક્રમે જિજ્ઞેશ ગોરની બદલી કર્યાનુ સામે આવ્યુ હતુ. શહેરના ટાઉન પ્લાનીંગ અંગેની મહત્વની જવાબદારી સંભાળનાર અધિકારીને બગિચા વિભાગની ટિકિટ બારી પરની કામગીરી સોંપવામાં આવી છે. જ્યાં વિભાગના વડા સૂચવે એ પ્રમાણેની કામગીરી તેઓએ કરવાની રહશે.

અન્ય 9 કર્મચારીઓ અને કલાર્કોની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મૂક્યા

  1. રાજેન્દ્રસિંહ એમ ચૌહાણઃ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ તરીકેની કામગીરી ઉપરાંત જન્મ-મરણ નોંધણી સબરજીસ્ટ્રારની કામગીરી, આરોગ્ય વિભાગના વડા, તેમજ લીગલ વિભાગના વડાની કામગીરી સંભાળશે, ફાયર વિભાગનો ચાર્જ મુક્ત કરાયો
  2. પલક એમ રાજપૂતઃ આવક જાવક ટેબલ થી બાંધકામ વિભાગમાં બદલી કરાઈ
  3. યોગેશ વાઘેલાઃ બાંધકામ વિભાગના ક્લાર્કને ટાઉન પ્લાનિંગ વિભાગમાં બદલી કરવામાં આવી.
  4. સતીષ પટેલઃ ટાઉન પ્લાનિંગ વિભાગમાં ક્લાર્કથી હટાવી ગલ્લા વિભાગના વડાની સૂચનાનુસાર કામગીરી કરવાની રહેશે.
  5. કેયૂર મહેતાઃ ગલ્લા વિભાગ, વ્યવસાય વેરો અને ગુમાસ્તા ધારા વિભાગમાં ક્લાર્કની કામગીરી થી બદલીને ગલ્લા વિભાગના વડાની સૂચનાનુસાર કામગીરી કરવાની રહેશે.
  6. હિતેશ રાવલઃ બાંધકામ વિભાગમાંથી જન્મ મરણ વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામગીરી સોંપાઈ
  7. ધર્મેન્દ્ર દેસાઈઃ ગલ્લા વિભાગના ક્લાર્કને હાઉસ ટેક્ષ વિભાગના વડાની સૂચનાનુસાર કામગીરી કરવાની રહેશે.
  8. દિપક દેસાઈઃ પાણી પૂરવઠા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટરની કામગીરીને બદલે હવે સિટી બસ વિભાગમાં એમ્બ્યુલન્સ અને વૈકુંઠ રથ ઉપર વિભાગના વડાની સૂચનાનુસાર કામગીરી કરવાની રહેશે.
  9. જિજ્ઞેશ રાવલઃ જન્મ મરણ નોંધણી વિભાગમાંથી આવક જાવક ટેબલ પર બદલી કરાઈ.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 11:48 pm, Mon, 27 March 23

Next Article