હિંમતનગર (Himmatnagar) ઇડર સ્ટેટ હાઇવે પર ધાણધા (Dhandha) વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. પૂંઠાના ખોખા બનાવતી ફેકટરીમાં આગ લાગ લાગવાને લઇને વિસ્તારમાં અપરાતફરીનો માહોલ સર્જાયો હતો હિંમતનગર નગર પાલીકા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. જહેમત બાદ આગ પર ફાયર ટીમને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
પૂંઠા ખોખા અને તેનુ રો મટીરીયલ હોવાને લઇ આગ વધુ વકરવાની ભીતી વર્તાઇ રહી હતી. પરંતુ ફાયર ટીમ ઝડપ થી પહોંચી આવતા આગ વધુ વિકરાળ બનતી અટકાવી શકાઇ હતી. આગ લાગવાનુ પ્રાથમિક અનુમાન શોટ સર્કિટ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની સર્જાઇ નહોતી.
ઇડર (Idar) શહેરના ગંભીરપુરા ઘાંટી વિસ્તારમાંથી ગાંજો ઝડપાઇ આવ્યો હતો. ગંભીરપુરા વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાએ ઓરડીમાં ગાંજો રાખ્યો હોવાની બાતમી સ્પેશીયલ ઓપરેશન ગૃપ (SOG) ને મળી હતી. જેને લઇ દરોડો પાડતા મહિલા પાસેથી ઓરડીમાં સંતાડી રાખેલો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. 2 કિલો 121 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો SOG ટીમને મળ્યો હતો.
SOG ટીમ વૃદ્ધ મહિલા ની ધરપકડ કરીને ઇડર પોલીસે મથકે લઇ ગઇ હતી. જ્યાં મહિલા વિરુદ્ધ ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. SOG ટીમે એકાદ માસના અંતરમાં બીજી વાર ગાંજો ઝડપવામાં સફળ રહી છે. આ પહેલા હિંમતનગર નજીક થી ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો.
ઇડર પ્રવાસન માટે જાણીતુ સ્થળ છે, પરંતુ પ્રવાસને લઇને વિસ્તારનો વિકાસ તેના નામ પ્રમાણે રુંધાઇ રહ્યો છે. પ્રસિદ્ધ ઇડરીયો ગઢ (Idariyo Gadh) ખનન ને લઇ ને હવે તેની સુંદરતા ગુમાવવા જઇ રહ્યો છે. રાણી તળાવ (Rani Lake) અને આસપાસના વિસ્તારને પણ પર્યટન વિકાસ હેઠળ આવરી લેવા માટે માંગ વર્તાઇ રહી છે. આ માટે આ પહેલા રાણી તળાવના બ્યુટી ફીકેશનને માટે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા.
આ દરમ્યાન હવે રાજ્યના પ્રવાસ પ્રધાન જવાહર ચાવડા (Jawahar Chavda) એ ઇડર ની મુલાકાત લીધી હતી. તેઓએ ઇડરીયો ગઢ અને રાણી તળાવ સહિતના વિસ્તારનુ નિરીક્ષણ કર્યુ હતુ. પ્રવાસ પ્રધાનની મુલાકાત અને નિરીક્ષણ ને લઇને હવે પ્રવાસને લઇને નવી યોજનાઓ સામે આવવાની અપેક્ષા સ્થાનિકોમાં વર્તાવા લાગી છે. તેઓએ સ્થાનિક ધારાસભ્ય હિતુ કનોડીયા (Hitu Kanodiya) અને આગેવાનોને પ્રવાસ વિકાસ માટે પ્રયાસો કરવાની ખાત્રી આપી છે.
આ પણ વાંચોઃ Aravalli: શામળીયા ભગવાનને ચાંદીના વાસણની ભેટ, વરસાદ માટે કંટાળુ હનુમાનને અભિષેક કરાયો