Local body polls 2021: Rajkot મનપાની ચુંટણીમાં પીઢ નેતાઓના કપાઈ શકે છે પત્તા

|

Feb 01, 2021 | 6:32 PM

Local body polls 2021 ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયથી Rajkot ભાજપમાં પણ દિગ્ગજોના નામ પર કાતર લાગી શકે છે.

Local body polls 2021: ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયથી Rajkot ભાજપમાં પણ દિગ્ગજોના નામ પર કાતર લાગી શકે છે. રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓની ટિકિટ કપાશે. રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ઉદય કાનગડ, પ્રદેશ ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને રાજકોટના પૂર્વ મેયર ડૉક્ટર જયમીન ઉપાધ્યાયનું નામ કપાઈ શકે છે. તો સાથે જ કશ્યપ શુક્લ, બાબુભાઇ આહિર, અનિલ રાઠોડ, વિજયાબેન વાછાણી, રૂપાબેન શીલુની પણ ટિકિટ કપાશે. મહત્વનું છે કે ભાજપે 3 ટર્મ પૂરી થતી હોય અને 60 વર્ષથી વધુ વય ધરાવતા નેતાઓને ટિકિટ નહીં આપવાનું નક્કી કર્યું છે.

 

Next Video