Rajkot : શાકભાજીના ભાવ પહોંચ્યા તળિયે, ખેડૂતોને પડતર ભાવ પણ નથી મળતા, જ્યારે લોકોને ખાસ રાહત નહીં

|

Sep 13, 2023 | 5:55 PM

માર્કેટયાર્ડમાં ખેડૂતોને આ શાકભાજીના પૂરતા ભાવ નથી મળી રહ્યા, ખેડૂતોને શાકભાજી માર્કેટયાર્ડ પહોચાડવા માટેનો ખર્ચ પણ માથે પડી રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે ખેડૂતો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે, વચેટિયાઓ આ સ્થિતિમાં સૌથી વધુ કમાણી કરે છે. ત્યારે tv9ની ટીમે પણ માર્કેટયાર્ડમાં શાકભાજીના હોલસેલ ભાવ કેટલા છે અને સામાન્ય લોકોને આ શાકભાજી કેટલા રૂપિયામાં મળી રહ્યું છે તે અંગે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો.

Rajkot : શાકભાજીના ભાવ પહોંચ્યા તળિયે, ખેડૂતોને પડતર ભાવ પણ નથી મળતા, જ્યારે લોકોને ખાસ રાહત નહીં
Vegetable

Follow us on

Rajkot : એક કહેવત છે કે “સમય સમયની વાત છે” થોડા સમય પહેલા જ ટામેટાના (Tomato) ભાવ 250 રૂપિયા કિલો સુધી પહોંચ્યા હતા. જે ટામેટા હવે હોલસેલ બજારમાં 250 રૂપિયાના 15થી 20 કિલો મળી રહ્યા છે. જ્યારે અન્ય શાકભાજીના ભાવ પણ તળિયે પહોંચી ગયા છે. વરસાદે વિરામ લેતાં અને ચોમાસાની સીઝન અંત તરફ પહોંચતા શાકભાજીનું મોટી માત્રામાં ઉત્પાદન થઈ થયું છે.

આ પણ વાંચો Rajkot : જેતપુરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલની આપઘાત કેસમાં અંતે ફરિયાદ નોંધાઇ, જુઓ Video

માર્કેટયાર્ડમાં ખેડૂતોને આ શાકભાજીના પૂરતા ભાવ નથી મળી રહ્યા, ખેડૂતોને શાકભાજી માર્કેટયાર્ડ પહોંચાડવા માટેનો ખર્ચ પણ માથે પડી રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે ખેડૂતો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે વચેટિયાઓ આ સ્થિતિમાં સૌથી વધુ કમાણી કરે છે. ત્યારે tv9ની ટીમે પણ માર્કેટયાર્ડમાં શાકભાજીના હોલસેલ ભાવ કેટલા છે અને સામાન્ય લોકોને આ શાકભાજી કેટલા રૂપિયામાં મળી રહ્યું છે તે અંગે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

જેમાં સામે આવ્યું હતું કે માર્કેટયાર્ડમાં મફતના ભાવે વહેચાતું શાકભાજી લોકોને મળવું જોઈએ એટલા સસ્તા ભાવમાં નથી મળી રહ્યું. પરિણામે જ્યારે શાકભાજીના ભાવ આસમાને હોય છે, ત્યારે લોકો તેના મસમોટા ભાવ ચૂકવે છે, પરંતુ જ્યારે શાકભાજીના ભાવ તળિયે હોય ત્યારે લોકોને જેટલું સસ્તું શાકભાજી મળવું જોઈએ તેટલું નથી મળતું. કારણ કે વચેટિયાઓ ખેડૂતો પાસેથી તળિયાના ભાવે શાકભાજી ખરીદી વેપારીઓને સારી એવી કિંમતમાં વેચે છે. શાકભાજીના ખેડૂતોને મળતા ભાવ અને લોકોને કયા ભાવે શાકભાજી મળી રહ્યું છે તે ભાવ નીચે મુજબ છે.

શાકભાજીના હોલસેલમાં ખેડૂતોને મળતા કિલોદીઠ ભાવ

ગુવાર 12થી 15 રૂપિયા

રીંગણા 8થી 10 રૂપિયા

મરચા 3 થી 5 રૂપિયા

કારેલા 7થી 10 રૂપિયા

દૂધી 5થી 7 રૂપિયા

ભીંડો 12થી 15 રૂપિયા

ટામેટા 10થી 12 રૂપિયા

ધનાભાજી 15થી 20 રૂપિયા

કોબી 8થી 10 રૂપિયા

ફ્લાવર 10થી 15 રૂપિયા

શાકભાજીના રિટેઇલ કિલોદીઠ ભાવ

ગુવાર 40થી 50 રૂપિયા

રીંગણા 40થી 50 રૂપિયા

મરચા 35થી 40 રૂપિયા

કારેલા 35થી 45 રૂપિયા

દૂધી 20થી 30 રૂપિયા

ભીંડો 40થી 50 રૂપિયા

ટામેટા 30થી 40 રૂપિયા

ધનાભજી 40થી 50 રૂપિયા

કોબી 20થી 25 રૂપિયા

ફ્લાવર 30થી 40 રૂપિયા

નિકાસ અંગે પ્રોત્સાહન આપવા ખેડૂતોએ સરકાર પાસે માગ કરી

આ પરિસ્થિતિ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે આ સ્થિતિમાં સૌથી વધુ વચેટિયાઓ કમાય છે. જ્યારે ખેડૂતોનો મજૂરી ખર્ચ અને યાર્ડ સુધી શાકભાજી પહોચાડવાનો ખર્ચ પણ માથે પડે છે. ત્યારે સરકાર શાકભાજીની નિકાસ અંગે પ્રોત્સાહન આપે અને ન્યૂનતમ ભાવ અંગે કઈક નીતિ કરે તેવી આશા ખેડૂતો સરકાર પાસે રાખી રહ્યા છે.

 રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:52 pm, Wed, 13 September 23

Next Article