Rajkot રાજકોટમાં વેરા વસૂલાત શાખાની ઝૂંબેશ સતત બીજા દિવસે પણ યથાવત છે. ઉલ્લેખનીય છે કે વેરા વસૂલાત શાખા દ્વારા ઢેબર રોડ પર વેરો બાકી હોઇ તેવા મિલકતધારકોને નોટિસ અપાઇ છે. આપને જણાવી દઇએ કે નોટિસ સાથે સિલીંગની કાર્યવાહી પણ હાથ ધરાઇ છે અને ગઇકાલે રાજકોટમાં આ ઝૂંબેશ દરમિયાન 30 મિલકતોને સીલ કરવામાં આવી હતી.