અધ્યાત્મ અને શિક્ષણના સમન્વય જેવી સંસ્થા રાજકોટ ગુરૂકુળના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના 75 વર્ષ થતાં અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે. 22 થી 26 ડિસેમ્બર દરમિયાન આ મહોત્સવ યોજાશે. જ્યારે સાંસ્કૃતિક પ્રદર્શની 10 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી યોજાશે. આ મહોત્સવમાં દેશના મોટા સંતો સહિત અલગ અલગ ક્ષેત્રોની હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે. ચીન્ના જિયર સ્વામી,યોગ ગુરુ રામદેવ બાબા, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા,ચિદાનંદ સરસ્વતી જી જેવા સંતો રહેશે ઉપસ્થિત. 1948માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની સ્થાપના થઈ હતી.જેને આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થયા છે.જેથી સંસ્થા દ્વારા ભવ્ય અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અહીં 26 ડિસેમ્બર સુધી સાંસ્કૃતિક પ્રદર્શન જોવા મળશે. જે 40 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર કરવામાં આવ્યા છે. પ્રાકૃતિક પહાડો,જંગલ,ગુફા અને 1 લાખથી વધુ ફૂલ – છોડ,વનરાઈઓ વચ્ચે 30 પ્રકારની અદ્યતન ટેકનોલોજી સાથે પારિવારિક,સામાજિક,સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને ઉજાગર કરતું ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક પ્રદર્શનીમાં 3 ભવ્ય ઓડિટોરિયમમાં અલગ અલગ ટેલીફિલ્મો મુલાકાતીઓને બતાવવામાં આવશે. જેના મુખ્ય વિષયો મારું જીવન,મારું ભારત,મારી પ્રેરણા અને મારી શ્રધ્ધા રહેશે..
આ ઉપરાંત સાંસ્કૃતિક પ્રદર્શનીના આકર્ષણોની વાત કરવામાં આવે તો તેમાં અલગ અલગ કલાકૃતિઓ ઊભી કરવામાં આવી છે જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ જે ગામમાં થયો હતો તે છપૈયા ધામ ખૂબ જ બેનમૂન રીતે ઉભુ કરવામાં આવ્યું છે.અન્ય આકર્ષણો જોઈએ તો તેમાં હિમાલય પ્રવેશદ્વાર,આર્ટ ગેલેરી, સાયન્સ સિટી,આનંદ મેળો,ઝૂલતો પુલ વગેરે આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં રતન તાતા,ભારત બાયો ટેકના શ્રીકૃષ્ણ યેલ્લાં, વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન,પદ્મશ્રી ડૉ તેજસ પટેલ,સવજીભાઈ ધોળકિયા,ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી વગેરે મોટી હસ્તીઓને આ એવોર્ડ એનાયત કરાશે.સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના 75 વર્ષ થતાં અમૃત મહોત્સવની ઉજવણી
Published On - 7:53 pm, Mon, 12 December 22