RAJKOT: ધોરાજીમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. શહેરમાં ક્યારેક આખલાના યુદ્ધથી વાહનોનો કચ્ચરઘાણ નીકળે છે. તો ક્યારેક આખલાની અડફેટે રાહદારીઓ ઇજાગ્રસ્ત થાય છે. જોકે અનેક રજૂઆતો છતા પાલિકાનું તંત્ર નઠોર તંત્ર કાર્યવાહી કરવામાં ઉણું ઉતર્યું છે. અને નાગરિકોએ આજે પણ આ મુશ્કેલીનો મુંગા મોઢે સામનો કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ધોરાજીના નાગરિકોમાં રખડતા ઢોરના ત્રાસની ફરિયાદો વધી છે. અને રખડતા ઢોર સાથે તેઓના માલિકો સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.