Rajkot: જિલ્લામાં આજથી 19 કેન્દ્રો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થઈ

|

Mar 08, 2021 | 10:56 AM

રાજકોટ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થઈ ગઈ છે. આજથી 5 જૂન સુધી જિલ્લાના કુલ 19 કેન્દ્રો પર ચણાની ટેકાના ભાવે ખરીદી થશે. પ્રથમ દિવસે કેન્દ્ર દીઠ 10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થઈ ગઈ છે. આજથી 5 જૂન સુધી જિલ્લાના કુલ 19 કેન્દ્રો પર ચણાની ટેકાના ભાવે ખરીદી થશે. પ્રથમ દિવસે કેન્દ્ર દીઠ 10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે, પરંતુ એક ખેડૂત પાસેથી ફક્ત 50 મણ ચણા જ ખરીદવાના પરિપત્ર સામે કિસાન સંઘે નારાજગી વ્યક્ત કરી છે.

કિસાન સંઘની માંગ છે કે મોંઘવારીને ધ્યાનમાં રાખીને ખેડૂતો પાસેથી 200 મણ ચણાની ખરીદી કરવામાં આવે. મહત્વનું છે કે જિલ્લામાં કુલ 68 હજાર ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ચણાના ભાવની વાત કરીએ તો ખુલ્લા બજાર અને ટેકાના ભાવમાં 100થી 125 રૂપિયાનો તફાવત છે. ખેડૂતો ખુલ્લા બજારમાં ચણા વેચે તો મણ દીઠ 875થી 900 રૂપિયા ભાવ મળે છે, જ્યારે સરકાર રૂપિયા 1020 ના ભાવે ચણાની ખરીદી કરે છે. ભાવમાં મોટો તફાવત ન હોવાથી ખેડૂતો ખુલ્લા બજારમાં જ ચણા વેચે તેવી શક્યતાઓ છે.

Next Video