રાજકોટ વાસીઓને આ ઉનાળામાં નહીં પડે પાણીની તકલીફ, કારણ કે રાજકોટની જીવાદોરી સમાન એવો આજી ડેમ છલોછલ ભરાઇ ગયો છે. આ નિવેદન આપ્યું છે રાજકોટના મેયર પ્રદીપ ડવે. મેયરે રાજકોટવાસીઓને આશ્વાસન આપ્યું છે કે, આ ઉનાળામાં તેમને પાણીકાપનો સામનો નહીં કરવો. કારણ કે, આજી ડેમ સહિતના ડેમોમાં પૂરતુ પાણી છે. જો કોઇ ટેક્નિકલ ખામી હશે તો જ પાણી કાપ થશે. બાકી નિયમિત રીતે પાણી રાજકોટવાસીઓને મળતું જ રહેશે.