રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુક્સાનીની સહાય ખેડૂતોને હજુ સુધી મળી નથી. રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુક્સાન થયું હતું. જેથી બેહાલ બનેલા ખેડૂતોને નુક્સાનીનું વળતર મળે તે માટે સરકારે સહાય પેકેજ પણ જાહેર કર્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો કે રાજય અને કેન્દ્ર સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજની ખેડૂતોને હજુ સુધી સહાય મળી નથી. રાજકોટ જિલ્લાના 20 હજાર ખેડૂત હજુ પણ કૃષિ સહાયથી વંચિત છે. મહત્વનું છે કે, 2 લાખ કરતા વધુ ખેડૂતોએ કૃષિ સહાય માટે કરી અરજી કરી હતી. ત્યારે હવે રાજય અને કેન્દ્ર સરકારમાંથી 24 કરોડ આવે ત્યારબાદ ખેડૂતોને સહાય ચૂકવાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો