રાહુલ ગાંધીએ (Rahul Gandhi) જબલપુરમાં હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સામે ટિપ્પણી કરી હતી. આ બાબતમાં સોશિયલ મીડિયામાં મુકાયેલા આ નિવેદન અને ટ્વિટમાં ઉલ્લેખને લઈને ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી મેટ્રો કોર્ટમાં ચાલી રહી છે. મેટ્રો કોર્ટમાં ચાલી રહેલી આ સુનાવણીમાં કુલ 4 સાક્ષીઓના નિવેદનો પૂર્ણ થયા હતા.
જેમાં ફરિયાદી પક્ષે કોંગ્રેસના આઇટી સેલના ચેરમેન રોહન ગુપ્તાને કોર્ટમાં નિવેદન માટે બોલાવવાની માગ કરી છે. ત્યારે રાહુલ ગાંધી તરફથી વકીલ દ્વારા આ મામલે વાંધો ઉઠાવીને રજૂઆત કરાઈ હત . મેટ્રો કોર્ટે આ મામલે 28 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણીનો આદેશ કર્યો છે.