12 માર્ચના રોજ પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી અમદાવાદની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ((Narendra Modi) દાંડી માર્ચનો શુભારંભ કરાવશે. 12 માર્ચ 1930 ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ઐતિહાસિક દાંડી માર્ચ યોજી હતી. દાંડી માર્ચને 91 વર્ષ પૂર્ણ થયા બાદ વિશ્વ સ્તરે દાંડી યાત્રાનું આયોજન કરાશે. ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેકટના ખાતમુહૂર્ત પણ PM દ્વારા કરાય તેવી પણ શક્યતા છે. વડાપ્રધાનના આગમનને લઈ રાજ્ય સરકારએ તૈયારીઓ શરૂ કરી છે.