Gujarati NewsGujaratPreparations for landing in ahmedabad start production of kites with message of awareness
અમદાવાદમાં ઉતરાયણની તૈયારીઓ, અવનવા જાગૃતિના સંદેશ સાથે પતંગોનું ઉત્પાદન શરૂ
અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. પરંતુ આ વખતે ઉત્તરાયણ ઉજવાશે કે નહીં તેને લઈ કોઈ નિર્ણય નથી લેવાયો. પરંતુ પતંગ બનાવતા ઉદ્યોગકારોએ જુદા-જુદા પતંગોનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે આ વખતે કોરોના અંગે લોકોને જાગૃત કરવા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. લોકો કોરોનાની ઝપેટમાં ન આવે તે માટે જુદા જુદા નિયમો લખેલા […]
Follow us on
અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. પરંતુ આ વખતે ઉત્તરાયણ ઉજવાશે કે નહીં તેને લઈ કોઈ નિર્ણય નથી લેવાયો. પરંતુ પતંગ બનાવતા ઉદ્યોગકારોએ જુદા-જુદા પતંગોનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે આ વખતે કોરોના અંગે લોકોને જાગૃત કરવા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. લોકો કોરોનાની ઝપેટમાં ન આવે તે માટે જુદા જુદા નિયમો લખેલા રંગબેરંગી પતંગોનું ઉત્પાદન થઈ રહ્યું છે. પતંગ બનાવનારનું કહેવું છેકે લોકો જાગૃત થાય અને કોરોનાનું સંક્રમણ ઘટે તે જ તેમનો ઉદ્દેશ છે. સાથે જ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાનો અને આત્મનિર્ભર બનવાનો સંદેશ પણ પતંગ પર પાઠવાયો છે.