પોલીસનું નિવેદન: શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી આગ અંગે કોઈની બેદરકારી નહી, FSLના રિપોર્ટની જોવાઈ રહી છે રાહ

અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગ અંગે અત્યાર સુધીની તપાસમાં કોઈની બેદરકારી સામે નથી આવી એવુ તપાસનીસ પોલીસનું કહેવુ છે. પોલીસે હાથ ધરેલી તપાસમાં હોસ્પિટલના સ્ટાફ અને સંચાલકોના નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. ફાયર સેફ્ટી અંગે હોસ્પિટલે જરૂરી કાર્યવાહી કરી છે પરંતુ કોરોનાને કારણે અમલમાં આવેલ લોકડાઉનને કારણે યોગ્ય સત્તાધીશને અરજી કરી શક્યા […]

પોલીસનું નિવેદન: શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી આગ અંગે કોઈની બેદરકારી નહી, FSLના રિપોર્ટની જોવાઈ રહી છે રાહ
| Updated on: Aug 07, 2020 | 11:22 AM

અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગ અંગે અત્યાર સુધીની તપાસમાં કોઈની બેદરકારી સામે નથી આવી એવુ તપાસનીસ પોલીસનું કહેવુ છે. પોલીસે હાથ ધરેલી તપાસમાં હોસ્પિટલના સ્ટાફ અને સંચાલકોના નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. ફાયર સેફ્ટી અંગે હોસ્પિટલે જરૂરી કાર્યવાહી કરી છે પરંતુ કોરોનાને કારણે અમલમાં આવેલ લોકડાઉનને કારણે યોગ્ય સત્તાધીશને અરજી કરી શક્યા નથી. પોલીસ એફએસએલના તપાસ રીપોર્ટની રાહ જોઈ રહી છે. આ તપાસના આધારે જાણવા મળશે કે આગ લાગવાનું સાચુ કારણ શુ હતુ. જ્વલનશીલ પ્રવાહી હતુ કે નહી. એકવાર હોસ્પિટલના સ્ટાફ અને સંચાલકોના નિવેદન નોંધાઈ જાય પછી નજરે જોનારા સાક્ષીઓના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરાશે તેમ પોલીસે જણાવ્યુ છે.