PM મોદીના કાકી નર્મદાબેન મોદીનું કોરોનાના કારણે અવસાન, અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર

|

Apr 27, 2021 | 8:20 PM

રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના કાકી નર્મદાબેન મોદી (Narmadaben Modi)નું કોરોનાના કારણે અવસાન થયું છે.

રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના કાકી નર્મદાબેન મોદી (Narmadaben Modi)નું કોરોનાના કારણે અવસાન થયું છે. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ (Asarwa Civil Hospital)માં તેઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા.

 

 

જ્યાં તેમનું સારવાર દરમિયાન અવસાન થયું છે. 80 વર્ષની ઉંમરે વડાપ્રધાન મોદીના સગા કાકી નર્મદાબેન મોદીનું અવસાન થયું છે. વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહ્લાદ મોદી (Prahald Modi)એ આ માહિતી આપી છે. છેલ્લા 7 દિવસથી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને આજે તેમનું અવસાન થયું છે.

 

આ પણ વાંચો: GUJARAT : સીએમનું સંબોધન, કામ વગર ઘરથી બહાર ન નીકળો, 8 દિવસમાં સંક્રમણને તોડવા માંગીએ છીએ

Next Video