લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ સૌ પ્રથમ ગુજરાત પહોંચીને PM મોદીએ માતાના આશીર્વાદ મેળવ્યા, જુઓ VIDEO

2019 લોકસભા ચૂંટણીમાં જબરજસ્ત જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમવાર માતાના આશીર્વાદ મેળવ્યા. અમદાવાદના ખાનપુરમાં સભા સંબોધ્યા બાદ પીએમ મોદી સીધા ગાંધીનગર માતા હીરાબાના નિવાસ સ્થાન પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ માતા હીરાબા સાથે સમય વિતાવ્યો હતો. માતા સાથે જીતની ખુશી વ્યક્ત કરીને આશીર્વાદ પણ લીધા. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ સૌ પ્રથમ ગુજરાત પહોંચીને PM મોદીએ માતાના આશીર્વાદ મેળવ્યા, જુઓ VIDEO
| Updated on: Jun 07, 2019 | 7:10 AM

2019 લોકસભા ચૂંટણીમાં જબરજસ્ત જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમવાર માતાના આશીર્વાદ મેળવ્યા. અમદાવાદના ખાનપુરમાં સભા સંબોધ્યા બાદ પીએમ મોદી સીધા ગાંધીનગર માતા હીરાબાના નિવાસ સ્થાન પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ માતા હીરાબા સાથે સમય વિતાવ્યો હતો. માતા સાથે જીતની ખુશી વ્યક્ત કરીને આશીર્વાદ પણ લીધા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ શપથવિધિના કાર્યક્રમની અટકળોના અંત સાથે આ તારીખે યોજાશે, જીત બાદ ગુજરાતમાં PM મોદીનું આગમન અને સભાને સંબોધન

ગુજરાતમાં આગમનની સાથે PM મોદી ખાનપુર પહોંચ્યા હતા. ખાનપુરમાં સભાનું સંબોધન કરતા સૌ પ્રથમ PM મોદીએ સુરતની ઘટનાને યાદ કરી હતી. અને પોતની સંવેદના વ્યક્ત કરી છે. PM મોદીએ કહ્યું હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં હતો. સરકારે આગામી દિવસોમાં ફરી આવી દુર્ઘટના સર્જાઈ નહીં તેને લઈને કામગીરી શરૂ કરી દીધી છે. તો ફરી એક વખત ભવ્ય જીત મેળવ્યા બાદ તેઓ પ્રથમ વખત ગુજરાતની ધરતી પર આવ્યા છે. સાથે કહ્યું કે જ્યારે પણ કોઈ સફળતા પ્રાપ્ત કરું તો માતાના આશીર્વાદ લેવા તમામ પુત્રની આકાંશા છે.

Published On - 4:19 pm, Sun, 26 May 19