PATAN : અગ્નિદાહ સમયે પડ્યો વરસાદ, શેડ ન હોવાથી ચિતાને તાડપત્રીથી ઢાંકવી પડી

|

Jul 28, 2021 | 10:19 AM

સ્મશાનમાં સુવિધાઓનો અભાવ હોવાથી અંતિમવિધિ સમયે અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે.

સમાચાર સાંભળો

PATAN : પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જસલપુરના સ્મશાનનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. દેવીપૂજક સમાજના સ્મશાનમાં તાડપત્રીના સહારે અગ્નિસંસ્કાર કરાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વિડીયોમાં તમે જોઈ શકો છે કે એક ચિતા સળગી રહી છે આ સમયે વરસાદી ઝાપટાને કારણે મૃતકની સળગતી ચિતા ન ઓલવાઈ જાય તે માટે સ્વજનોએ ઉપર તાડપત્રીની આડશ કરી અને લાકડીના ટેકે પરીચિતો અને મિત્રો આસપાસમાં ઉભા રહી ગયા.આ પૂર્વે લાકડા માટે પણ સ્વજનોને રઝળપાટ કરવી પડતી હતી. સ્મશાનમાં સુવિધાઓનો અભાવ હોવાથી અંતિમવિધિ સમયે અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે.

આ પણ વાંચો : SURENDRANAGAR : ગાંધી હોસ્પિટલમાંથી છુટા કરાયેલા 7 સફાઈ કર્મચારીઓએ મુખ્યપ્રધાન, રાજ્યપાલ પાસે ઈચ્છામૃત્યુની માગ કરી

આ પણ વાંચો : RAJKOT : ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓના રસીકરણની મુદ્દત 15 ઓગસ્ટ સુધી વધારવા માગ કરી 

Next Video