નર્મદા સરોવર અંગે ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાત સરકારને કુલ 6,436 કરોડ રૂપિયા લેવાના છે. 2019ની 30 એપ્રિલ સુધી ભાગીદાર રાજ્યો પાસેથી 6,436 કરોડ રૂપિયા લેવાના બાકી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નર્મદા સરોવરમાં ચાર રાજ્યોની ભાગીદારી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ કુલ ચાર રાજ્યોની ભાગીદારી છે. પુન:વસવાટ, વ્યાજ, ખર્ચ અને બિન વિવાદીત રકમનાં લેણાં અંગે આ મોટો ખુલાસો થયો છે.
[yop_poll id=”1″]
રાજ્ય પ્રમાણે વાત કરીએ તો ગુજરાતને મધ્યપ્રદેશ પાસેથી 4,396 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. મહારાષ્ટ્ર પાસેથી 1,484 કરોડ, જ્યારે રાજસ્થાન પાસેથી 554 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. ગત વર્ષે ગુજરાત સરકારને આ જ રીતે 6,189 કરોડ રૂપિયાની બાકી રકમ લેવાની નીકળતી હતી.
આ પણ વાંચો: અંબાણી દેવુ ચૂકવવા માટે વેચશે મુંબઈનું આલીશાન હેડક્વાર્ટર!
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 1:16 pm, Mon, 1 July 19