Panchmahal: તંત્રનો દાવો, પણ વાસ્તિવકતા અલગ, TV9ના રિયાલીટી ચેકમાં બહાર આવી વિગતો

|

May 07, 2021 | 2:11 PM

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કોરોનાની બીજી લહેરથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધુ ન ફેલાય તે મારું ગામ કોરોના મુક્ત ગામ નામનું અભિયાન તો ચાલુ કર્યું પણ પંચમહાલ (Panchmahal) જીલ્લામાં આ અભિયાનને કોઈ જ પ્રતિસાદ મળતો જોવાતો નથી.

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કોરોનાની બીજી લહેરથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધુ ન ફેલાય તે મારું ગામ કોરોના મુક્ત ગામ નામનું અભિયાન તો ચાલુ કર્યું પણ પંચમહાલ (Panchmahal) જીલ્લામાં આ અભિયાનને કોઈ જ પ્રતિસાદ મળતો જોવાતો નથી.

ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , સામુહિક આરોગ્ય કેન્દ્ર , હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હોય કે પ્રાથમિક શાળાઓમાં શરુ કરવામાં આવેલા કોવીડ કેર સેન્ટરો હોય આ તમામ જગ્યાએ કંઈક ને કંઈક અભાવ જોવા મળ્યો હતો. TV9 દ્વારા આ અંગે રીયાલીટી ચેક કરવામાં આવ્યું હતું.

 

દર્દીઓને કોરોનાનું નિદાન થયા બાદ આઇસોલેશનમાં રાખવા ગામડાઓમાં જેને વ્યવસ્થા ના હોય એવા દર્દીઓ માટે શાળાઓમાં કોવીડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ સરકાર ના આ પ્રયત્ન ને કોઈ પ્રતિસાદ મળી નથી શક્યો અને હાલ ચાલુ કરાયેલ કોવીડ કેર સેન્ટર સૂના સૂના દેખાય છે જે ગામડા માં મોટા પ્રમાણમાં કોરોનાને પોઝિટિવ કેસ હોય છે છતાં કોઈપણ વ્યક્તિ પોતાના જ ગામમાં શાળામાં ઉભા કરાયેલ કોવીડ કેર સેન્ટરમાં રોકાવા તૈયાર નથી.

ટીવી9ની ટીમે જયારે કોવીડ કેર સેન્ટરોની મુલાકાત લીધી ત્યારે માત્ર આશા વર્કર સ્ટાફ સિવાય કોઈ જોવા મળ્યું જ નહીં અને ગોધરા તાલુકાના છારીઆ ગામ અને ઓરવાડા ગામમાં ઉભા કરાયેલ કોવીડ સેન્ટરમાં કોઈ દર્દી આયોસોલેશન થયેલ જોવા મળ્યા નહીં.

સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તાર માં આવેલ પીએચસી સેન્ટર અને હેલ્થ અને વેલનેસ સેન્ટર બનાવવા આવેલ છે એની પણ ટીવી9 દ્વારા મુલાકાત લેવા માં આવી ત્યારે પ્રથમ છારીઆ પીએચસી સેન્ટર માં પ્રવેશતા જ કોરોના ટેસ્ટિંગ સેન્ટર બંધ હાલત માં જોવા મળ્યું અને એક બોર્ડ મારેલ પણ જોવા મળ્યું જ્યાં ટેસ્ટ કીટના હોવા થી કોરોનાનો ટેસ્ટ નહિ થઇ શકે જોવા મળ્યું હતું.

Next Video