ગોધરાના ભૂરાવાવમાં શાળા ખસેડવા મુદ્દે વિવાદ, વિદ્યાર્થીઓને અન્ય શાળામાં લઈ જવાતા વાલીઓએ કર્યો વિરોધ, જુઓ VIDEO

પંચમહાલમાં ગોધરાના ભૂરાવાવ ગામે શાળા ખસેડવા મુદ્દે વિવાદ વકર્યો છે. મિશ્રશાળાના બે વર્ગો જર્જરીત હોવાથી ધોરણ 7 અને ધોરણ-8ના વિદ્યાર્થીઓને SRP શાળામાં ખસેડવામાં આવ્યા છે. જેને પગલે ધોરણ 1થી 6ના વાલીઓએ જોરદાર વિરોધ કર્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   વાલીઓએ તેમના બાળકોને ખાનગી શિક્ષક […]

ગોધરાના ભૂરાવાવમાં શાળા ખસેડવા મુદ્દે વિવાદ, વિદ્યાર્થીઓને અન્ય શાળામાં લઈ જવાતા વાલીઓએ કર્યો વિરોધ, જુઓ VIDEO
| Updated on: Jun 14, 2019 | 6:29 AM

પંચમહાલમાં ગોધરાના ભૂરાવાવ ગામે શાળા ખસેડવા મુદ્દે વિવાદ વકર્યો છે. મિશ્રશાળાના બે વર્ગો જર્જરીત હોવાથી ધોરણ 7 અને ધોરણ-8ના વિદ્યાર્થીઓને SRP શાળામાં ખસેડવામાં આવ્યા છે. જેને પગલે ધોરણ 1થી 6ના વાલીઓએ જોરદાર વિરોધ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વાલીઓએ તેમના બાળકોને ખાનગી શિક્ષક રોકીને મિશ્ર શાળાની બહાર ટેન્ટ બાંધીને બાળકોને શિક્ષણ અપાવવાનું શરૂ કર્યું છે. વાલીઓએ તેમના બાળકોને જર્જરીત શાળામાં બેસાડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યાં સુધી સમારકામ ન થાય ત્યાં સુધી શાળાની બહાર બેસાડીને જ તેઓ પોતાના બાળકોને અભ્યાસ કરાવશે. વાલીઓનો આક્ષેપ છે કે થોડા સમય પહેલા જ તેમને જર્જરીત શાળાના સમારકામનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી આ વાયદો પૂર્ણ ન થતાં વાલીઓએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદની બ્રાઈટ ઈન્ટરનેશનલ સ્કૂલની 30થી વધુ બસો પરમિશન વિના જ ચાલતી હોવાથી RTO અધિકારીઓએ કરી કાર્યવાહી, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:28 am, Fri, 14 June 19