કોરોના વાયરસનું સંક્રમણ વધતુ અટકાવવા માટે સુરતના કતારગામ, વરાછા અને સરથાણા વિસ્તારના પાનના ગલ્લાઓ આગામી સાત દિવસ માટે બંધ રાખવાનો આદેશ સુરત મહાનગરપાલિકાએ કર્યો છે. અગાઉ લોકડાઉન દરમિયાન સમગ્ર રાજ્યમાં પાનના ગલ્લાઓ બંધ રાખવાનો આદેશ કર્યો હતો. જે પાછળથી ક્રમશ અપાયેલ છુટછાટમાં પાનના ગલ્લાઓ પણ ખોલવા મંજૂરી અપાયેલ હતી. પરંતુ સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાને રાખીને વહીવટીતંત્રે સુરતના કતાર ગામ, વરાછા અને સરથાણા વિસ્તારના પાનના ગલ્લાઓ સાત દિવસ માટે બંધ રાખવા આદેશ કર્યો છે. જુઓ વિડીયો.