સુરત મહાનગરપાલિકાના 9 કર્મચારી એસોસિએશનના હોદ્દેદારો સુરત મહાનગરપાલિકાની કચેરીની બહાર ધરણા ઉપર બેઠા છે. કર્મચારી એસોસિએશનના હોદ્દેદારોની માંગણી છે કે, કોરોનાથી સંક્રમીત થયેલા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે. અત્યાર સુધી સુરત મહાનગરપાલિકાના 300 જેટલા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં 10 કર્મચારીઓના મોત નિપજ્યા છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યાં છે. જેના કારણે કર્મચારીઓ સંક્રમીત થઈ રહ્યા છે. સંક્રમીત કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવાની માંગણી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. જેનો ઉકેલ નહી આવતા ના છુટકે ધરણા કરવાની ફરજ પડી છે.
Published On - 10:20 am, Tue, 4 August 20