કોરોનાકાળમાં સરકારી હોસ્પિટલોની બેદરકારીના અનેક દાખલાઓ સામે આવ્યા હતા. આવો જ વધુ એક બેદરકારીનો દાખલો સુરત સિવીલ હોસ્પિટલથી સામે આવ્યો છે. કોરોનાથી મહિલાના નિપજેલા મૃત્યુના 11 દિવસ બાદ, પરિવારજનોને સિવીલ હોસ્પિટલમાંથી દાખલ કરાયેલ મહિલાની તબીયત સારી હોવાનો ફોન કરાય છે. સિવીલ હોસ્પિટલના કંટ્રોલરૂમમાંથી દાખલ મહિલાની તબીયત સારી હોવાની વાત કરાતા જ પરિવારજનો ચોકી ઉઠ્યા હતા. મૃતક મહિલાના પરીવારજનોએ આ સમગ્ર મામલે રેકોર્ડેડ મોબાઈલ ઓડીયો દ્વારા સિવીલ સત્તાધીશોને હોસ્પિટલ દ્વારા દાખવવામાં આવેલ બેદરકારી અંગે ફરિયાદ કરી હતી.