NARMADA : ઉપરવાસમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam) માં નવા નીર આવ્યાં છે. ઉપરવાસ માંથી 32,569 ક્યુસેક પાણીની આવક થવાથી ગઈકાલે ૨૫ જુલાઈએ સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam) ની સપાટી હાલ 115.37 મીટરે પહોચી હતી. ત્યારબાદ 10 કલાકમાં ડેમની સપાટીમાં ફરી વધારો થયો છે. છેલ્લા 10 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 51 સેમીનો વધારો થતા, નર્મદા ડેમ હાલની જળસપાટી 115.88 મીટરે પહોંચી છે. જો કે ગતવર્ષ કરતા ચાલું વર્ષે ડેમની સપાટી 5 મિટર ઓછી છે. ડેમમાં હાલ 4357 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.
Published On - 6:50 am, Mon, 26 July 21