
નર્મદા જિલ્લા ડિસ્ટ્રીકટ કોર્ટ માં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી મુકવામાં આવી હતી. ડિસ્ટ્રીકટ જજ એન આર જોશીની કોર્ટમાં ચૈતર વસાવાને શરતી જામીન આપવામાં આવ્યા. ભરૂચ અને નર્મદા જિલ્લામાં નહિ રહેવાની શરતે નર્મદા જિલ્લા કોર્ટે જામીન મંજુર કર્યા છે. 23 જાન્યુઆરીના રોજ જેલ મુક્ત કરવામાં આવશે.
1. અરજદારે રૂ.1,૦૦,૦૦00/- અંકે રૂપિયા એક લાખ પુરાના બે જામીન તથા તેટલી જ રકમના જાત મુચરકા આપવાના રહેશે.
2. અરજદાર/આરોપીએ ટ્રાયલ પૂર્ણ થતા સુધી નર્મદા જીલ્લાની હદમાં પ્રવેશ કરવો નહી.
3. અરજદાર નાસી-ભગી જશે નહીં અને તપાસના કામમાં પુરતો સાથ સહકાર આપશે.
4. અરજદાર આરોપીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ ધાક ધમકી આપી અથવા તો પ્રલોભનો આપી અથવા તો કોઈ પણ રીતે ફરીયાદપક્ષના સાહેદને ફોડવાનો પ્રયત્ન કરવો નહી
5. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી હાલના અરજદાર નર્મદા તથા ભરૂચ સિવાયના અન્ય કોઈ સરનામાં ઉપર રહેશે અને તે સરનામાની વિગતા તથા મોબાઈલ નંબર રજૂ કરવાના
6. તપાસ તથા ટ્રાયલ પૂર્ણ થતા સુધી અરજદારે તપાસ કરનાર અમલદાર તથા ટ્રાયલ કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજયની હદ છોડવી નહી.
7. અરજદારે આવા કે અન્ય પ્રકારના ગુના ભવિષ્યમાં આચરવા નહી.
8. અરજદારે પોતાના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાના રહેશે અને જો પાસપોર્ટ ના ધરાવતા હોય તા તે અંગેનું જરૂરી સોગંદનામું કરવાનું રહેશે.
9. ઉપરોકત કોઈપણ શરતોનો ભંગ કરવામાં આવશે તો જામીન રદ કરવા માટે અરજી કરી શકાશે.
10. આરોપીને ત્યારે જ છોડવામાં આવશે કે જો તેઓની બીજા કોઈ ગુનામાં સંડોવણી નહીં હોય.
11. અરજદાર આરોપીએ પોતાની ઓળખ અંગેના તથા હાલના તેમજ કાયમી સરનામા અંગેના દસ્તાવેજી પરાવા જામીન આપતી વખતે રજૂ કરવાના રહેશે
12. અરજદાર ઈચ્છે તો ટ્રાયલ વખતે, ટ્રાયલ વહેલી ચલાવવા માટેની અરજી કરી શકે છે.
Published On - 7:47 pm, Mon, 22 January 24