રાજકોટમાં કોરોનાને કારણે છેલ્લા ચોવીસ કલાકમાં 19 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. ગઈકાલે કોરોનાથી કુલ 21 દર્દીના મોત નિપજ્યા હતા. સૌરાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ રાજકોટમાં નોધાઈ રહ્યાં છે. કોરોનાને લઈને દાખલ થનારા દર્દીઓના, મૃત્યુ નિપજે છે તે દર્દીઓના મોત કોરાનાથી જ થયા છે, કે અન્ય કોઈ પહેલાથી રહેલી બિમારીને કારણે, તે ડેથ ઓડીટ કમિટી જાહેર કરે છે. ગઈકાલે મૃત્યુ પામેલા 21 દર્દીઓમાંથી કોઈ પણ દર્દીના મૃત્યુ કોરોનાને કારણે થયા નથી તેવુ ડેથ ઓડીટ કમિટીએ જાહેર કર્યું છે.
આ પણ વાંચોઃડ્રગ્સ કેસમાં અનેક હિરોઈનના બહાર આવ્યા નામ, તપાસ-પુછપરછ માટે NCB બોલાવશે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો