મહેસાણા જિલ્લામાં મહિલાઓને સ્વ નિર્ભર કરવા અને તેમના સ્વભંડોળથી પોતાની રોજગારી વધારવા માટે સરકાર મિશન મંગલમ દ્વારા સખીમંડળોની બહેનો પગભર બનાવી રહી છે અને આ બહેનો પોતાના જીવનધોરણને ઊંચું લાવી રહી છે. મહેસાણા જિલ્લામાં પણ સખીમંડળની બહેનો આત્મનિર્ભર બનીને પોતાનું જીવન ધોરણ બનાવી રહી છે. સરકારની DAY-NRLM યોજના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કાર્યરત આવા અનેકો સખી મંડળ આનું જાગતું ઉદાહરણ છે. જેમાંની બેચરાજી તાલુકાના બેચરાજી ગામના જય બહુચર સખી મંડળની બહેનોની નાળિયેરના છોતરામાંથી બનતી વિવિધ બનાવટો અને તેના દ્વારા આર્થિક રીતે પગભર બની છે.
આ અંગે જણાવતા સખી મંડળના સભ્ય ઠાકોર કિરણબેન અભેસંગે જણાવ્યું કે હું જય બહુંચર સખી મંડળ બેચરાજીમાં જુથલીડર તરીકે કાર્યરત છું. અમારા મંડળમાં કુલ -10 બહેનો જોડાયેલ છે. અમો જૂથમાં મિશન મંગલમ યોજનાના પંચસૂત્રોનું પાલન નિયમિત કરીએ છીએ. વધુમાં અમારા ગ્રૂપની બહેનોને મિશન મંગલમ યોજનાના જિલ્લાના કર્મચારીઓ દ્વારા આર્થિક પ્રવૂતિ કરી, આવક વધારવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ત્યારબાદ યોજના થકી અમોને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મિશન મંગલમ યોજના થકી આર સેટી,મહેસાણા દ્વારા નાળિયેરના છોતરાં માથી વિવિધ બનાવટો બનાવવાની તાલીમ આપવામાં આવી. તાલીમ લીધા બાદ અમારા જુથની 7 બહેનો ભેગા મળી , અમારી બચત તથા સરકારશ્રીના રિવોલ્વીંગ ફંડ મળેલ જે ભંડોળમાથી નાળિયેળના છોતરામાથી વિવિધ બનાવટો જેવી કે , ગણપતિ, તોરણ, ટોડલા,વોલપીસ, જુમ્મર, કળશ જેવી ચીજ-વસ્તુઓ બનાવવાની પ્રવુતિ નાના પાયે શરૂઆત કરવામાં આવી.
પહેલાના સમયમાં વ્યક્તિદીઠ માસિક આવક રૂપિયા 5000 થી 6000 હજાર લગભગ થતી હતી . જે હાલમાં વધીને વ્યક્તિદીઠ માસિક રૂપિયા 7000 થી 7500 હજાર મળતા થયા છે. અમારા જૂથની બનાવટના વેચાણ અર્થે બેચરાજી યાત્રા ધામ હોય ત્યાં વેચાણ કરીએ છીએ તેમજ સરકાર તફથી યોજાતા તાનારીરી વડનગર, મોઢેરા મહોત્સવ , રાજય અથવા રાજય બહાર સરસ મેળા , સ્થાનિક બજારમાં સારું એવું વેચાણ થાય છે. હાલનુ અમારું વાર્ષિક ટર્નઓવર રૂ. 3.50,000 જેટલું થયેલ છે. જેમાં અમોને વેચાણ ઉપર 48 ટકા જેટલો નફો મળેલ છે. આથી અમો ઠાકોર પરિવારની બહેનો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં સારી રીતે મદદરૂપ થઈ શક્યા છીએ.
આમ સરકારની DAY-NRLM યોજના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી થકી અમારા વ્યવસાયનો વ્યાપ વધારી શક્યા, એ બદલ અમો જૂથના બહેનો મિશન મંગલમ યોજનાનો ખૂબ ખુબ આભાર માનીએ છીએ.
આ પણ વાંચો : Gujarati Video: પાલનપુરના લાલાવડા ખાતે અર્બુદા રજત જયંતિ મહોત્સવની ઉજવણી,1 લાખથી વધુ લોકોએ માતાજીના દર્શન કર્યા
Published On - 9:56 pm, Fri, 3 February 23