Mehsana: મહેસાણાની જમિયતપુરા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય જળ પુરસ્કાર મળ્યો, ઉપરાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત થયો

National Water Award: મહેસાણાની જમિયતપુરા પ્રાથમિક શાળાએ જિલ્લા અને રાજ્યનુ ગૌરવ વધાર્યુ છે. શાળા દ્વારા જળ બચાવવા માટે થઈને ઉભી કરેલી સિસ્ટમને લઈ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર જળ શ્રેણી અંતર્ગત એવોર્ડ અપાયો છે.

| Edited By: | Updated on: Jun 17, 2023 | 6:41 PM
1 / 5
મહેસાણા જિલ્લાની જમિયતપુરા પ્રાથમિક શાળા દ્વારા જિલ્લા અને રાજ્યનુ ગૌરવ વધાર્યુ છે. જમિયતપુરાની પ્રાથમિક શાળા દ્વારા પાણી બચાવવા માટે થઈને શ્રેષ્ઠ ઉદાહરણીય કામગીરી કરી છે. જેના અંતર્ગત ચોથા રાષ્ટ્રીય જળ પુરસ્કાર માટે શ્રેષ્ઠ શાળાની શ્રેણીમાં જળ સંસાધન માટે શ્રેષ્ઠ કાર્ય બદલ જમિયતપુરા પ્રાથમિક શાળાની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

મહેસાણા જિલ્લાની જમિયતપુરા પ્રાથમિક શાળા દ્વારા જિલ્લા અને રાજ્યનુ ગૌરવ વધાર્યુ છે. જમિયતપુરાની પ્રાથમિક શાળા દ્વારા પાણી બચાવવા માટે થઈને શ્રેષ્ઠ ઉદાહરણીય કામગીરી કરી છે. જેના અંતર્ગત ચોથા રાષ્ટ્રીય જળ પુરસ્કાર માટે શ્રેષ્ઠ શાળાની શ્રેણીમાં જળ સંસાધન માટે શ્રેષ્ઠ કાર્ય બદલ જમિયતપુરા પ્રાથમિક શાળાની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

2 / 5
જમિયતપુરા પ્રાથમિક શાળા દ્વારા જળ સંરક્ષણ માટે કામગીરી કરવામાં આવી હતી. શાળામાં વરસાદી પાણીના સંગ્રહ અને ભોજન દરમિયાન બગાડ થતા પાણીના બચાવને લઈ સિસ્ટમ શાળામાં ઉભી કરી છે. જેને લઈ શાળાની પસંદગી એવોર્ડ માટે કરી હતી.

જમિયતપુરા પ્રાથમિક શાળા દ્વારા જળ સંરક્ષણ માટે કામગીરી કરવામાં આવી હતી. શાળામાં વરસાદી પાણીના સંગ્રહ અને ભોજન દરમિયાન બગાડ થતા પાણીના બચાવને લઈ સિસ્ટમ શાળામાં ઉભી કરી છે. જેને લઈ શાળાની પસંદગી એવોર્ડ માટે કરી હતી.

3 / 5
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના હસ્તે કેન્દ્રિય જળ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્ય કક્ષા કેન્દ્રિય પ્રધાન પ્રહલાદસિંહ પટેલની ઉપસ્થિતીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. જળ પુરસ્કાર માટે 11 શ્રેી માટે 868 આવેદન પત્ર મળ્યા હતા. જેમાં શ્રેષ્ઠ શાળા તરીકે જમિયતપુરાની પ્રાથમિક શાળાની પસંદગી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ અને શાળાના આચાર્ય જનક પટેલે એવોર્ડ દિલ્હી ખાતે સ્વિકાર્યો હતો.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના હસ્તે કેન્દ્રિય જળ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્ય કક્ષા કેન્દ્રિય પ્રધાન પ્રહલાદસિંહ પટેલની ઉપસ્થિતીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. જળ પુરસ્કાર માટે 11 શ્રેી માટે 868 આવેદન પત્ર મળ્યા હતા. જેમાં શ્રેષ્ઠ શાળા તરીકે જમિયતપુરાની પ્રાથમિક શાળાની પસંદગી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ અને શાળાના આચાર્ય જનક પટેલે એવોર્ડ દિલ્હી ખાતે સ્વિકાર્યો હતો.

4 / 5
શાળામાં 7 હજાર લીટર ચોમાસુ પાણીના સંગ્રહ માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ સિવાય મધ્યાહન ભોજન દરમિયાન પાણીના થતા બગાડને અટકાવી તેના ઉપયોગને લઈ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. શાળામાં ઉછેરવામાં આવતા છોડ અને વૃક્ષોને સિંચાઈ માટે મધ્યાહન ભોજન દરમિયાન બગાડ થતા પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

શાળામાં 7 હજાર લીટર ચોમાસુ પાણીના સંગ્રહ માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ સિવાય મધ્યાહન ભોજન દરમિયાન પાણીના થતા બગાડને અટકાવી તેના ઉપયોગને લઈ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. શાળામાં ઉછેરવામાં આવતા છોડ અને વૃક્ષોને સિંચાઈ માટે મધ્યાહન ભોજન દરમિયાન બગાડ થતા પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

5 / 5
જળ સંરક્ષણ અંગે બાળકોને પાણીના વપરાશ અંગે સમજ આપીને જાગૃત કરવામાં આવી રહ્યા છે. બાળકોને દેખરેખ હેઠળ જ આ માટે ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ શાળામાં ગોઠવવામાં આવી છે. શાળાને ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવવામાં આવી છે. આ પહેલા પણ જમિયતપુરા પ્રાથમિક શાળાને સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ જળ શ્રેણી અંતર્ગત પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.

જળ સંરક્ષણ અંગે બાળકોને પાણીના વપરાશ અંગે સમજ આપીને જાગૃત કરવામાં આવી રહ્યા છે. બાળકોને દેખરેખ હેઠળ જ આ માટે ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ શાળામાં ગોઠવવામાં આવી છે. શાળાને ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવવામાં આવી છે. આ પહેલા પણ જમિયતપુરા પ્રાથમિક શાળાને સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ જળ શ્રેણી અંતર્ગત પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.

Published On - 6:40 pm, Sat, 17 June 23