મહેસાણા વિસ્તારના ગામડાઓમાં દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી માટે પ્રવેશબંધી ફરમાવવા સોશિયલ મીડિયામાં માગ

|

Mar 16, 2022 | 6:28 PM

પોતાના દાન થકી આંજણા સમાજમાં ભામાશાનું બિરૂદ પામેલા હરી ચૌધરી માટે ગદ્દાર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતાં વિપુલ ચૌધરી વિરૂદ્ધ ભારે વિરોધનું વાતાવરણ ઉભું થયું છે.

મહેસાણા વિસ્તારના ગામડાઓમાં દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી માટે પ્રવેશબંધી ફરમાવવા સોશિયલ મીડિયામાં માગ
વિજાપુરના પામોલમાં વિપુલ ચૌધરીએ કરેલા નિવેદનોને ભારે વિરોધ થઈ રહ્યો છે.

Follow us on

ગત તારીખ 13 માર્ચના રોજ પામોલ ખાતેની એક સભામાં દૂધસાગર ડેરી (Dudhsagar Dairy) ના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી (Vipul Chaudhary) ના કોઇ ખાસ વ્યક્તિઓ માટેના નિવેદનોના કારણે ઉત્તર ગુજરાતના આંજણા ચૌધરી સમાજના ગામો (villages) માં ભારે રોષ વર્તાતો જોવા મળી રહ્યો છે. આ જાહેરસભામાં વિપુલ ચૌધરી દ્વારા ઉભી કરવામાં આવી રહેલી અર્બુદા સેના કેટલાક ખાસ વ્યક્તિઓને નિશાન બનાવવા ઉભી કરાઇ રહી હોવાના તેઓએ સંકેત આપતાં આ સમાજના ગામડાઓમાં વિપુલ ચૌધરી માટે ઉકળતો ચરૂ જોવા મળે છે.

આંજણા સમાજના શિક્ષણ વિદ અને આ સમાજને રાજ્ય કક્ષાએ ઓ.બી.સી માં સ્થાન અપાવનાર તથા ભૂતપૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીના પિતા અને પોતાના દાન થકી સમાજમાં ભામાશાનું બિરૂદ પામેલા હરી ચૌધરી માટે ગદ્દાર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતાં વિપુલ ચૌધરી વિરૂદ્ધ ભારે વિરોધનું વાતાવરણ ઉભું થવા પામ્યું છે અને સોશિયલ મીડિયામાં કેલલીક પત્રિકાઓ ફરતી થઈ છે.

દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરીને ભાજપના પપ્પુ શબ્દનો ઉલ્લેખ કરતાં મહેસાણા સહિતના આજુબાજુના આ સમાજના ગામોમાં વિપુલ ચૌધરી માટે પ્રવેશબંધી ફરમાવાય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે ઉલ્લેખનીય છે કે; પાટણ વિસ્તારની એક સભામાં વિપુલ ચૌધરી દ્વારા પદ્મશ્રી માલજી ભાઇ દેસાઈ અને ગોવા રબારી માટે પણ ગદ્દાર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અંગત સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર વિપુલ ચૌધરીના આ વ્યક્તિ વિશેષ માટેના ઉચ્ચારણો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા જોવાઇ રહી છે તેવું મહેસાણા દૂધ સાગર ડેરીના વોટસએપ ગ્રુપમાં ડેરીના કર્મચારીઓ દ્વારા કરેલ પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચોઃ Surat: ભટાર વિસ્તારમાં બાઇક સવાર પાસેથી 18 લાખની ચિલઝડપ, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચોઃ Rajkot: સૌરાષ્ટ્રની પ્રથમ સ્કીન બેંક શરૂ થશે, ગંભીર રીતે દાઝેલા અને અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે

Next Article