Mehsana : મોતનો આંકડો એટલો વધ્યો કે બનાવવું પડયું હંગામી સ્મશાન

|

Apr 23, 2021 | 7:14 PM

Mehsana : કોરોના મહામારી વચ્ચે શહેર અને જિલ્લામાં પણ રોજે રોજે મોતની સંખ્યા વધી રહી છે. અને, ત્યારે અહીં અગ્નિદાહ માટે સ્મશાનોમાં ચિતા ખૂટી પડી છે.

Mehsana : કોરોના મહામારી વચ્ચે શહેર અને જિલ્લામાં પણ રોજે રોજે મોતની સંખ્યા વધી રહી છે. અને, ત્યારે અહીં અગ્નિદાહ માટે સ્મશાનોમાં ચિતા ખૂટી પડી છે. ત્યારે મહેસાણામાં પણ કઇંક આવી જ સ્થિતિનું નિર્માણ થતા નગરપાલિકાના સત્તાધીશોએ હંગામી સ્મશાન બનાવવાનો વારો આવ્યો છે. મહેસાણા આર.ટી.ઓ કચેરી પાછળ નગરપાલિકા દ્વારા 6 પ્લેટફોર્મ અને 5 ભઠ્ઠીઓ તૈયાર કરવામાં આવી છે. આમ નવા આયોજન બાદ હવે મહેસાણામાં કુલ 4 સ્મશાન ગૃહો કાર્યરત છે. શાસકોને આશા છે કે આ વ્યવસ્થા બાદ સ્થિતિ સુધરશે. અને વધુ નવું કોઇ સ્મશાન નહીં બનાવવું પડે.

 

Next Video