Mehsana: વિજકંપની દ્વારા બપોરે 4 વાગ્યા દરમિયાન શટડાઉન જાહેર, 8 કલાક વિજપુરવઠો રહેશે બંધ

|

Jan 17, 2021 | 10:16 AM

Mehsana: યુજીવીસીએલ દ્વારા આજે બપોરે 4 વાગ્યા દરમિયાન 220 કેવી સબ સ્ટેશન તેમજ લાઇન મેન્ટેનન્સ માટે શટડાઉન જાહેર કરાયુ છે.

Mehsana: યુજીવીસીએલ દ્વારા આજે બપોરે 4 વાગ્યા દરમિયાન 220 કેવી સબ સ્ટેશન તેમજ લાઇન મેન્ટેનન્સ માટે શટડાઉન જાહેર કરાયું છે. જેને લઇ 8 કલાક દરમિયાન સિટી-1ના તમામ વિસ્તાર અને સિટી-2માં રાધનપુર ચોકડી વૃંદાવન સોસાયટી સુધી તેમજ જેલ રોડ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. વીજલાઇન મેન્ટેનન્સને પગલે શહેરના રહેણાંક અને કોમર્શિયલ મળી કુલ 50 હજાર જેટલા ગ્રાહકોને અસર થશે. અંદાજે 42 હજાર ઘરો તેમજ 8 હજાર જેટલી દુકાનોમાં સાંજના 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ દરમિયાન, મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયેથી વીજ સપ્લાય રાબેતા મુજબ ચાલુ કરાશે. તેમ મહેસાણા યુજીવીસીએલ સિટી-1 કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

 

Next Video