મહામારી વચ્ચે મહેસાણામાં પણ રોજે રોજે મોતની સંખ્યા વધી રહી છે અને અગ્નિદાહ માટે સ્મશાનોમાં ચિતા ખૂટી પડી છે. ત્યારે મહેસાણામાં પણ કઇંક આવી જ સ્થિતિનું નિર્માણ થતા નગરપાલિકાના સત્તાધીશોએ હંગામી સ્મશાન બનાવવાનો વારો આવ્યો છે. મહેસાણા આર.ટી.ઓ. કચેરી પાછળ નગરપાલિકા દ્વારા 6 પ્લેટફોર્મ અને 5 ભઠ્ઠીઓ તૈયાર કરવામાં આવી છે. આમ નવા આયોજન બાદ હવે મહેસાણામાં કુલ 4 સ્મશાન ગૃહો કાર્યરત છે. શાસકોને આશા છે કે, આ વ્યવસ્થા બાદ સ્થિતિ સુધરશે અને વધુ નવું કોઇ સ્મશાન નહીં બનાવવું પડે.