MEHSANA : દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ કેસમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજૂ કરાયા. મહેસાણા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં વિપુલ ચૌધરીને પોલીસ જાપ્તા સાથે લાવવામાં આવ્યા. પરંતુ આજે પણ કોર્ટમાં ચાર્જ ફ્રેમ ન થઈ શક્યા. 3 આરોપી હાજર ન રહેતા આગામી 20 ફેબ્રુઆરીની મુદ્દત આપવામાં આવી છે. સાગરદાણ કૌભાંડના 22 પૈકી 3 આરોપીના મૃત્યુ થયા છે. જ્યારે બે આરોપીને કોરોના અને એક આરોપી અન્ય કારણોસર હાજર ન રહી શક્યો.
Published On - 3:28 pm, Sat, 30 January 21