LRD ભરતીમાં 1 ઓગસ્ટના પરિપત્રનો વિવાદઃ આંદોલનકર્તાઓની માગ…’ફેરફાર નહીં, ઠરાવને રદ કરવામાં આવે’

LRD અંગેનો પરિપત્ર રદ કરવા માટે આંદોલન પર બેઠેલા ઉપવાસીઓને પારણા કરવા માટે રાજ્ય સરકારના પ્રધાનો પહોંચ્યા હતા. દિલીપ ઠાકોર, અલ્પેશ ઠાકોર, જવાહર ચાવડા અને કુંવરજી બાવળીયા સહિતનાં નેતાઓ તેમને પારણા કરાવવા માટે પહોંચ્યા હતા. જોકે આંદોલનકારીઓએ આજે લેવાયેલા નિર્ણયની નકલ માગી હતી અને કહ્યું હતું કે, જ્યાં સુધી તેમને જૂનો ઠરાવ રદ કરવાના નિર્ણયની […]

LRD ભરતીમાં 1 ઓગસ્ટના પરિપત્રનો વિવાદઃ આંદોલનકર્તાઓની માગ...ફેરફાર નહીં, ઠરાવને રદ કરવામાં આવે
| Updated on: Feb 11, 2020 | 2:28 PM

LRD અંગેનો પરિપત્ર રદ કરવા માટે આંદોલન પર બેઠેલા ઉપવાસીઓને પારણા કરવા માટે રાજ્ય સરકારના પ્રધાનો પહોંચ્યા હતા. દિલીપ ઠાકોર, અલ્પેશ ઠાકોર, જવાહર ચાવડા અને કુંવરજી બાવળીયા સહિતનાં નેતાઓ તેમને પારણા કરાવવા માટે પહોંચ્યા હતા. જોકે આંદોલનકારીઓએ આજે લેવાયેલા નિર્ણયની નકલ માગી હતી અને કહ્યું હતું કે, જ્યાં સુધી તેમને જૂનો ઠરાવ રદ કરવાના નિર્ણયની નકલ નહીં મળે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે.

આ પણ વાંચોઃ જાણો 3 કે 3 ટર્મ કરતાં વધારે વખત રાજ્યનું નેતૃત્વ કરેલ મુખ્યમંત્રી અને તેના રાજ્ય વિશે

બીજી તરફ કુવરજી બાવળિયાએ આંદોલન કારીઓને સલાહ આપી હતી કે રાજ્ય સરકારનું આખું એક પ્રતિનિધિ મંડળ તેમને પારણા કરાવવા આવ્યું છે. ત્યારે તેમણે સરકાર પર વિશ્વાસ રાખવો જોઇએ અને ઉપવાસનો અંત લાવવો જોઇએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો