સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે મતદારો સ્થાનિક પ્રશ્નોને લઇને અવાજ ઉઠાવી રહ્યા છે. આવી જ કેટલીક સમસ્યાથી વંચિત છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રહીશો. હિંમતનગરની અસંખ્ય સોસાયટીઓના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. સંત્રીથી માંડીને મંત્રી સુધીના તમામ નેતાઓને રજૂઆત કરવામાં આવી, પરંતુ સમસ્યાનું સમાધાન ક્યારે થશે તેનો જવાબ આ નાગરિકો શોધી રહ્યા છે. જોકે હવે હિંમતનગરની કેટલીક સોસાયટીનો રહીશો મતદાન બહિષ્કારનું હથિયાર ઉગામવાની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે આવો સાંભળીએ શું છે હિંમતનગરવાસીઓની સમસ્યા.