Local Body Poll 2021 Patan સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વઘુ એક ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સિંચાઈ માટે નર્મદાના પાણી મુદ્દે વારંવાર રજૂઆત છતાંય પ્રશ્ન હલ ન થતાં રાધનપુરના મસાલી ગામના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામના ખેડૂતો પાસે 700 હેકટરથી વઘુ ખેતીની જમીન છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર નર્મદા તેમજ સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ સિંચાઈ માટે પાણી ખેતર સુઘી ક્યારેય નથી પહોંચ્યું. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ અધિકારીઓની મિલીભગતનો ભોગ બની રહ્યા છે.