Local Body Poll 2021: Ahmedabad મનપાની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ શહેરના હાટકેશ્વર ભાઈપુરા વોર્ડમાં ભાજપ વિરોધી બેનર જોવા મળ્યા. જેમાં દલિત સમાજની વસ્તી વધુ હોવા છતાં ભાજપે ટિકિટ ન ફાળવતા સમાજમાં વિરોધની લાગણી ફેલાઈ છે. બેનરમાં દર્શાવવામાં આવ્યું છે કે ભાજપની દલિત વિરોધી નીતિને પગલે મનપાની ચૂંટણીમાં દલિત સમાજના લોકો કોંગ્રેસને મત આપશે. જોકે ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ભાજપ વિરોધી બેનરો લાગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વરમાં ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપાયું, 11 ગેસ સિલિન્ડર સહિત રૂપિયા 55 હજારનો મુદ્દામાલ જપ્ત